SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી ધીરજલાલભાઈ ટી. કાપડિયા શ્રી ધીરજલાલભાઈ આન્ધ્રની ભૂમિ ઉપર ગુજરાતી વ્યાપારી તરીકે સારી નામના પ્રાપ્ત કરી ચૂકયા છે. તેઓના પિતાશ્રી ટોકરશીભાઈ લાલજીભાઈ કાપડિયા કચ્છી ક`વીર તરીકે પ્રગતિ અને પ્રતિષ્ઠાને પથ અજવાળે છે. શ્રી ટાકરશીભાઈ પાતાના દાની વ્યક્તિત્વ, ગ્રામ્ય જીવન ઉદ્ધારની સત્ત્વશીલ વૃત્તિ; હસમુખા સ્વભાવ, પરોપકારી સેવાવૃત્તિ અને ખાનદાની ગૃહસ્થી અને અનેાખા શિક્ષણપ્રેમ માટે જાણીતા છે. આવા નિકાશીલ પ્રતાપી પિતાના પુત્ર હોવું એ ગૌરવની વાત છે. સુપુત્ર શ્રી ધીરજલાલભાઈ યોગ્ય દોરવણી અને અનુભવઅભ્યાસને ધ્યાનમાં લઈ એ ગૌરવને ઉજાળી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ વ્યવસાયની સર્વોનુલક્ષી પ્રગતિ અને સામાજિક સેવા કરતા પિતાશ્રીની ગૌરવગાથાને ગતિશીલ બનાવી રહ્યા છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા વ્યવસાયકાર, કુશળ વહીવટકર્તા ઉપરાંત એક ઉચ્ચ કક્ષાના વિચારક પણ છે. હૈદરાબાદ ખાતે મેસસ આન્દ્રે રી-રેલિંગ વક્સના નામે સ્ટીલ ઉદ્યોગ સ્થાપેલ છે. આ ઉપરાંત તેલ–તેલીબિયાંની મિલે, બિલ્ડિંગ કન્ટ્રકશન લાઈન; આયાત-નિકાસ તથા ખેતવાડી પણ છે. આમ બહુમુખી નીતિ અપનાવનાર તેઓ વિવિધ ક્ષેત્રાના સફળ વેપારી, વિચારક અને સફળ અમલકર્તા પણ છે. શ્રી ધીરજલાલભાઈ એક સારા સમાજસેવક પણ છે. સમાજોપયેાગી એવી અનેક સંસ્થાઓને પોતાની અમૂલ્ય સેવા આપીને સમાજઋણ ચૂકવી રહ્યા છે અને પેાતાની કારકિર્દીમાં યશકલગી ઉમેરતા રહ્યા છે. શ્રે. ૨૯ [ રસ શ્રી ધીરજલાલભાઈ એક નિષ્ણાત રમતવીર છે. રમતગમત પ્રત્યે અનુરાગ અને ટેવને કારણે તેઓ હંમેશાં તાજગીસભર તેજસ્વિતા ધારણ કરે છે. શ્રી ધીરજલાલભાઈ અને ટોકરશીભાઈ સદૈવ આવા કાર્યવંત રહે એવી શુભેચ્છા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy