________________
૨૨૪ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો નીકળે ત્યારે મહત્ત્વની કામગીરી, આઝાદી પછી નિરક્ષરતા નિવારણ શિબિરનું આયોજન અને સંચાલનકાર્ય, યુવક પ્રવૃત્તિઓ અને પર્યટન પ્રવૃત્તિઓનું સફળ સંચાલન, નિર્વાસિતોની છાવણીઓમાં સેવાકાર્ય, રાષ્ટ્રભાષા પ્રચાર, સમાજ શિક્ષણ, હરિજન ઉદ્ધાર પ્રવૃત્તિ, યુવક પ્રવૃત્તિ વગેરેમાં સફળ કામગીરી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછી આપબળે શિક્ષણકાર્ય કરતાં કરતાં કેલેજમાં અભ્યાસ કરી અનુસ્નાતક કક્ષા સુધીની સિદ્ધિ મળેલ છે. ૧૯૫૯માં ભાવનગર કેળવણી મંડળની સ્થાપના થઈ ત્યારથી સેક્રેટરી તરીકેની સેવા, મંડળની સ્થાપના, વિદ્યામંદિર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે તેમને સતત શ્રમ, પ્રેરણા અને ઉત્સાહ, ભાવનગર જિલ્લા આચાર્ય સંઘને સંગઠિત કરવામાં મહત્ત્વને ફાળે – સંઘના પ્રમુખમંત્રી તરીકે ફરજ બજાવી. ગુજરાત રાજ્ય માધ્યમિક શાળા સંચાલક મહામંડળના ભાવનગર અધિવેશન વખતે મંત્રી તરીકેની સફળ કામગીરી – રાજ્ય સંચાલક મંડળના કારોબારીના સભ્ય તરીકે. શ્રી ઘનુભાઈ એસોસિ યેશન ઓફ ધ મેનેજમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન ઈન સૌરાષ્ટ્રની શરૂઆતથી જ તેઓ સક્રિય કામગીરી સાથે – હાલમાં તેઓ તેના ઉપપ્રમુખ છે. જાન્યુઆરી ૧૯૭૦માં ભાવનગરમાં જાયેલ ગુજરાત રાજ્ય વિજ્ઞાનમેળે અને ગુજરાત રાજ્ય વિજ્ઞાન શિક્ષક મંડળના અધિવેશનનું શ્રી ઘનુભાઈ એ સફળ સંચાલન કર્યું.
શિક્ષકગણની અંગત મુશ્કેલીઓ, આર્થિક મુશ્કેલીઓ અને અન્ય સમસ્યાઓ વખતે ખૂબ જ માયાળુપણે અંગત રીતે થવાય એટલા ઉપયોગી બને છે.
શાળાને કેઈપણ વિદ્યાથી કે કર્મચારી નિઃસંકોચ તેમની સમસ્યા પ્રગટ કરી શકે છે. શિક્ષકે અને વાલીઓ વચ્ચે તેઓ જીવંત કડીરૂપ બની રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org