________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૨૩
પ્રેરણા સંસ્થાનાં મૂળ રોપાયાં તે પહેલાંથી અવિરતપણે ચાલુ થયાં છે. હજુ તેમના શ્રમ અને ખંત મ`ડળની ત્રણ કોલેજો અને એ હાઈસ્કૂલો થઈ છે ત્યારે એવાં જ રહ્યાં છે. ધનુભાઈ ભટ્ટ વિદ્યાર્થી અવસ્થાથી જ એક ઉત્સાહી અને જીવત વ્યક્તિવિશેષ બની રહ્યા છે. કિશોરાવસ્થામાં તેમણે ઉપાડેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, યુવક પ્રવૃત્તિઓ અને વ્યાયામ પ્રવૃત્તિએને હજુ આજ સુધી તેઓ વિવિધ રીતે વિકસાવતા રહ્યા છે.
દેશની ગુલામીની પરિસ્થિતિના કામમાં તેમણે અભ્યાસ છેડી આઝાદીની લડતમાં ઝંપલાવ્યુ અને તે લડત તથા તેની આનુષંગિક પ્રવૃત્તિઓમાં જાનના જોખમે કામ કર્યુ હતું. તે દિશામાં કૉંગ્રેસ સેવાદળ તેમ જ કૉંગ્રેસ સ્વયંસેવક દળમાં સેવાકાર્યની મેાટા ભાગની જવાબદારીએ તેમણે અતિ ઉત્સાહથી અદા કરી. સ્વરાજ્ય મળતાં અગાઉની આ કામગીરી કરવા ઉપરાંત નાનામોટા ખાલવગેનુ આયેાજન, બાલ્કન−જી બારીની પ્રવૃત્તિઓ, શિક્ષક તાલીમવર્ગના આપવર્ગો તેમજ ગ્રીષ્મ વર્ગોની તેમની કુશળ કામગીરી કદી ય ભુલાય તેમ નથી.
વ્યાયામ પ્રવૃત્તિએ બદલ તેમ જ અનેકવિધ સામાજિક સેવાઓ બદલ કાઠિયાવાડ વ્યાયામ પ્રચારમંડળ અને ગણેશ ક્રીડામંડળ તરફથી તેમને રૌષ્ય ચંદ્રક એનાયત થયેા હતા. તેમના વ્યાયામમાં જીવનભરને રસ હજુ આજે પણ જિલ્લાના તેમ જ રાજ્યના એલમ્પિક રમતત્સવમાં સક્રિયરૂપે જોવા મળે છે. આ ક્ષેત્રનાં મડળામાં તેઓ હજુ પણ સક્રિય સભ્ય તરીકે સેવાઓ આપે છે. સૌરાષ્ટ્ર વ્યાયામ પ્રચારક મ`ડળના ઉપપ્રમુખ તરીકે પણ તેઓએ પોતાની સેવા આપી હતી. આપણી વિદ્યામંદિર હાઈસ્કૂલમાં નિયમિત યોજાતા અઠવાડિક સંઘ-વ્યાયામના તાસમાં આપણા આસા જેટલા વિદ્યાર્થીઓને વ્યાયામ કરાવવામાં અને કુશળતાથી સૌ શિક્ષકો અને વિદ્યાર્થી એની વ્યાયામ પ્રત્યે અભિરુચિ જાગૃત કરાવવામાં તે સતત પ્રયત્નશીલ રહે છે.
ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો પહેલાં ઘરે ઘરે રોગચાળા ફાટી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org