________________
અભિવાદનગ્રંથ ]
[ ૨૦૯ નમસ્કારમંત્રની રટણ અને એની જ ધૂન વચ્ચે એમનું મહાપ્રયાણ મોક્ષના શાશ્વતા સુખરૂપ પરમ શાંતિને પામે તેવી ભાવના.
- સાબરકાંઠા જિલ્લાના નાનક મોટુકા ગામથી મનમાં એક નવી જ આશા-શ્રદ્ધા સાથે મહાનગરી મુંબઈ આવીને સ્થિર થયેલા શેઠશ્રી દેવચંદભાઈએ ઘણું મોટું માનવંતું સ્થાન મેળવ્યું. ઔદ્યોગિક ક્ષેત્રે નોન-ફેરસ મેટલમાં પણ તેમનું નામ મોખરે રહ્યું છે.
બૃહદ્ મુંબઈના જૈન સમાજની ધાર્મિક અને સામાજિક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓમાંનાં સુવર્ણપૃષ્ઠો ઉપર શ્રી દેવચંદભાઈના અનેક નિર્વ્યાજ અને નિઃસ્વાર્થ ઉપકારે નોંધાયા છે. મલાડમાં તે તેમના નામવાળું દેવચંદનગર મુંબઈમાં મશહૂર છે.
સુખ અને સમૃદ્ધિમાં પણ તેમના સાદા, સંયમી, સદાચારી અને સરળ જીવન-વ્યવહારને જેવા એ પણ એક લ્હાવો છે. કશી જ મેટાઈ કે આડંબર વગર એ સૌ કેઈને મળે. તેમના જીવન પરથી જ કહી શકાય કે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવું એ એમને જીવનમંત્ર હતો. પુણ્યથી મળેલી સંપત્તિને પુણ્યકાર્યોમાં ઉદાર હાથે તેમણે વાપરી જાણી.
શૈક્ષણિક, ધાર્મિક અને મધ્યમ વર્ગના વસવાટ વગેરે વિવિધ ક્ષેત્રો તેમના દાનથી સમૃદ્ધ બન્યાં. સફળ ઉદ્યોગપતિ, સંન્નિષ્ઠ સમાજસેવક તરીકે અનેકવિધ સંસ્થાઓની જવાબદારી સફળતાપૂર્વક અદા કરી હતી. શિક્ષણપ્રેમી શ્રી દેવચંદભાઈએ મલાડમાં બી. જે. હાઈસ્કૂલ પિતાના નામે શરૂ કરાવી. વતનમાં પિતાના કુટુંબીજને દ્વારા હાઈસ્કૂલ શરૂ કરાવી. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરનાર દાનેશ્વરી શ્રી દેવચંદભાઈ ગુજરાત-મહારાષ્ટ્રમાં વસતા પિતાના જ્ઞાતિબંધુઓને પેશ્યલ બસો દ્વારા જ્યાં ચોવીશ તીર્થકરો મેક્ષે ગયા છે તેવી પાવન ભૂમિની સ્પર્શના કરાવી હતી અને પિતે સંઘના સેવક બની રહ્યા હતા. તેમને એક પુત્ર શ્રી સુરેશભાઈએ પણ
બાપથી બેટા સવાયા”ની કહેવતને સાચી ઠરાવી છે, અને તેને લીધે વ્યાપારક્ષેત્રે તેમ જ ધાર્મિક ક્ષેત્રે એખરાનું સ્થાન ધરાવે છે. છે. ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org