________________
૨૦૮ ].
[ આપણું શ્રેષ્ઠીવર્યો પૂ. વિજયાબેન દેવચંદભાઈ ભારતનાં લગભગ બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યાં છે. શ્રદ્ધાસંપન્ન અને ગુણાનુરાગી આ આત્માએ પણ જીવનમાં ઘણું જ તપશ્ચર્યા કરી. વર્ષીતપ પણ કરેલ. આવા ધર્મસંસ્કારી પરિવારમાં શ્રી નવનીતભાઈ અને બીજા ભાઈઓએ પૂ. પિતાશ્રીને મંગલ ધર્મને વારસો બરાબર જાળવી રાખ્યો છે.
વતન ભંડારિયામાં પણ જૈન દેરાસરનાં માંગલિક કાર્યોમાં પરિવાર સાથે ભાવપૂર્વક રસ લીધો છે. આજે ભંડારિયા પણ એક તીર્થ જેવું બની ગયું છે. પુણ્યની મળેલી લક્રમીને મંગલ ધર્મનાં કામમાં પ્રસંગોપાત્ત સદુપયોગ થઈ રહ્યો છે.
સામાજિક ક્ષેત્રે પણ સમૂહલગ્નમાં સહયોગ–સોળ સમૂહ લગ્નમાં રૂ. પ૦૦૦૦, બસ સ્ટોપ, ચબૂતરે, પાણીની પરબ માતુશ્રીના નામે; મેટી વિશાળ જમીનમાં કાનજી ખેતશીની વાડીમાં સમૂહ લગ્ન, કેશન વગેરે લોકકલ્યાણનાં કામમાં સારો લાભ લીધે છે.
- સ્વ. શ્રી દેવચંદ જેઠાલાલ સંઘવી
શ્રી દેવચંદભાઈ સંઘવી સકળ જૈન સંઘમાં સ્થંભ સમાન અને આત્માથી આરાધક જીવ હતા. જીવનમાં સરળતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા, દેવભક્તિ, ગુરુભક્તિ, વ્રત, નિયમ, તપ, તીર્થયાત્રાઓ આદિ અનેક સગુણોના સતત ઉદ્યમ વડે તેમણે પિતાનું માનવ જીવન સફળ કરી બતાવ્યું.
ધર્મસંસ્કારી પરિવારમાં મનુષ્યભવ પામી નાની વયથી જ શ્રાવક જીવનના પૂરા સંસ્કારી બન્યા. જીવનભર માંગલિક ધર્મનાં અનેકવિધ કાર્યો કરતાં કરતાં હમણાં જ સ્વર્ગવાસી થયા. એમની જીવનભરની નિખાલસતા અને ધર્મસાધનાએ જન-સમાજમાં ભારે મેટું માનપાન પામ્યા. તેમને ઉચ્ચતમ આત્મા શાસનપ્રેમી, શ્રદ્ધાસંપન્ન, ગુણાનુરાગી હતે.
વિશાળ જૈન સંઘને સુશ્રાવક અને ઉદારચરિત દાનવીર શેઠશ્રી દેવચંદભાઈની મોટી ખોટ પડી છે. એમની અંત સમય સુધીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org