SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૨૦૭ દાનેશ્વરી નથી, હું તે (માંડવરાય) દાદાને મુનીમ માત્ર છું. તેમણે ભંડારની ચાવી મને આપી છે, તે એવી સૂચના સાથે કે વહીવટ બરાબર કરજે. તેમાં કંઈ ગફલત થાય નહિ. વળી હું તે તમારી આગળ એક શિક્ષક તરીકે આવ્યો છું. મારે તમારી પાસેથી ધન કે ધાન્ય જોઈતું નથી, પણ અંતરના આશીર્વાદ જોઈએ છે. તે તમે ખૂબ પ્રેમથી આપે. તમારો અત્યંત આભાર. સ્વ. શ્રી દેવચંદ હઠીચંદ મહેતા ભંડારિયાવાળા (કામળિયાના) પ્રારબ્ધ અને પુરુષાર્થને સમન્વય સાધી જીવનબાગને મઘમઘતો મૂકી જનાર શ્રી દેવચંદભાઈ મહેતા મૂળ સૌરાષ્ટ્રના પાલીતાણું પાસે ભંડારીઆના વતની. સાધારણ અભ્યાસ પણ આત્મબળ ગજબનું હતું પચાસેક વર્ષ પહેલાં જીવનમાં કાંઈક કરી છૂટવાના દઢ મનસૂબા સાથે મુંબઈમાં તેમનું આગમન થયું. મુંબઈ આવીને નરોત્તમભાઈ ઝવેરીની કંપની માં નેકરીથી જીવન કારકિદીનાં શ્રીગણેશ કર્યા. ચીવટ, પ્રામાણિકતા અને કાર્યકુશળતાને કારણે જીવનમાં ઉત્તરત્તર પ્રગતિ સાધી અને આશા-ઉત્સાહ સાથે આગળ વધતા રહ્યા. - ૧૯૫૬માં તેમના પુત્રએ સ્વતંત્ર બિઝનેસ શરૂ કર્યો. ધંધામાં પણ યારી મળી. આ પ્રગતિ પાછળ તેમના જીવનને ઉચ્ચત્તમ સંસ્કારનું બળ હતું. સરળતા, ઉદારતા, દેવભક્તિ, ગુરુભક્તિ, તીર્થયાત્રા આદિ અનેક ગુણોના સતત ઉદ્યમવડે એમણે પિતાનું જીવન સફળ કર્યું. પાંચ દીકરા, બે દીકરી અને એકવીશ પત્રને વિશાળ પરિવાર ભગવાનના અણમોલ શાસન અને તેની શીતળ છાયામાં સુંદર આધ્યાત્મિક વિકાસ સાધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં તેમના પરિવાર તરફથી ઘણી જગ્યાએ નાનામોટાં દાન અપાયેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy