________________
ર૬ |
[ આપણા શ્રેષ્ઠીવર્યો આશ્વાસન છે. કીડી, માછલાં, કૂતરાં, પક્ષીને પણ યોગ્ય ખેરાક મળે તે માટે ગાડી સાહેબે પ્રયત્ન કર્યા છે. “જી ને જીવવા દો”ની વાતથી આગળ વધી જીવમાત્ર શાંતિથી જીવે –શાતા મળે તેવા ઊંચા ભાવથી લક્ષ્મીને સવ્યય કરી રહ્યા છે. કેળવણી, મેડિકલ અને અનેકવિધ ક્ષેત્રે દાનની ગંગા વહાવતા એવા ગાડીસાહેબને શત શત ધન્યવાદ આપીએ છીએ. તેમને પ્રાપ્ત થયેલી લક્ષમી, સમૃદ્ધિ અને કીતિને તેઓશ્રી સાચા અર્થમાં સાર્થક કરી રહ્યા છે. સાચે જ, કુદરતને નિયમ છે કે શ્રેષ્ઠ વસ્તુ હંમેશ યોગ્ય વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે.
ઓલ ઇન્ડિયા જેન કોન્ફરન્સના સૂત્રધાર અને મુંબઈની અનેક સંસ્થાઓના અધિષ્ઠાતા બનેલા શ્રી ગાડી સાહેબ જૈન સમાજમાં સારું એવું બહુમાન પામ્યા છે. વ્યાપારી જીવ હોવાથી વિવિધ વ્યાપારમાં સુકાવ્યું અને લક્ષ્મીની વર્ષા વરસી રહી. પણ હૃદયની ઉદારતા એવી કે શિક્ષણ સંસ્થાઓ, માનવ-રાહત, ઉદ્યોગ-કેન્દ્ર અને એ ઉપરાંત સેવાનાં વિવિધ ક્ષેત્રમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં છૂટે હાથે દાન કર્યું. સામાજિક ક્ષેત્રે પણ ઘણાં ઘણાં મધ્યમ વર્ગના કુટુઓને તેમની ઉદારતા આશીર્વાદ સમાન બની રહી છે. ગાંધીજીના સંદેશ મુજબ સંપત્તિના ટ્રસ્ટી બનવા પ્રયત્ન કરતાં કરતાં “બહુજન સુખાય, બહુજન હિતાય.” મળેલી લક્ષ્મીને સદુપયોગ થાય એવી શ્રી દીપચંદભાઈ એસ. ગાડીની મહેચ્છા આપણને પ્રેરણું આપી જાગ્રત કરે છે.
- સદેવ સ્મિત વેરતા શ્રી દીપચંદભાઈને શાસનદેવ ખૂબ લાંબુ આયુષ્ય અને તંદુરસ્તી અપે અને તેઓના શુભ હસતે સમાજનાં શુભ કાર્યો થાય એમ ઇચ્છીએ. પોતે શક્તિપૂજામાં માને છે. પાપ-પુણેમાં માને છે. આજ કડો રૂપિયાની સખાવતે કરી છે. ભવિષ્યમાં મોટી આકાંક્ષા સેવી રહ્યા છે.
શ્રી દીપચંદભાઈ ગાડી સાહેબનાં પ્રવચને અત્યંત પ્રભાવક હોય છે કારણ કે તે સહદયતાક્ય મને મંથનમાંથી ઉદ્ભવેલાં હોય છે. એ પ્રવચનમાં તેઓ ઘણી વખત કહે છે કે “હું કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org