________________
ર૧૦ ]
[ આપણ શ્રેષ્ઠીવર્યો શ્રી દેવચંદભાઈનાં ધર્મપત્ની શ્રીમતી ચંપાબહેન અને શાંતાબહેનની પ્રેરણાએ શેઠશ્રીની પ્રગતિમાં નોંધપાત્ર ફાળે આપ્યો હતો. શ્રીમતી ચંપાબહેન
સાબરકાંઠાના અગિયેલ મુકામે જન્મેલાં શ્રીમતી ચંપાબહેન ખૂબ જ ધાર્મિક, ખંતીલાં અને તપસ્વી મહિલા છે. તેમણે વર્ષીતપ, આઠ અઠ્ઠઈ તેમ જ ઉપધાન પાંત્રીસમું કરેલ. તેઓ હ.મ. જૈન મહિલા મંડળ-જ્ઞાતિના દશ વર્ષ સુધી મંત્રીપદે રહેલા. પિતાના ગામમાં સિદ્ધચકપૂજન કરેલ. સમેતશિખરજી સંઘની પ્રતિષ્ઠા તેમણે મલાડ ખાતે કરી તેમ જ મલાડમાં જૈન ઉપાશ્રય – મણિ ભુવનને શિલારોપણવિધિ કરી સંઘ માટે ખુલ્લું મુકાવેલ.
ચંપાબહેને પિતાના સમગ્ર જીવન દરમ્યાન ધર્મસેવા, નાનાંમોટાં અનેક દાન અને મલાડ ખાતે અનેક પ્રવૃત્તિઓને આરંભ કરીને સારી એવી પ્રતિષ્ઠા સંપાદન કરેલી. શ્રીમતી શાંતાબહેન
હડિયેલ મુકામે તેમનો જન્મ થયો હતો. તેમણે ઉપધાન તપની નવપદની ઓળી – ૯, અક્ષયનિધિ – ચૌદ પૂર્વનાં એકાસણું વગેરે કર્યા. મહેસાણા જિલ્લાના મહુડી જૈન તીર્થધામે જૈન દેરાસરમાં ર૭ દેરીનાં શિલાસ્થાપન દાનવીર શેઠશ્રી દેવચંદભાઈ છેડે કરાવ્યાં. આ ઉપરાંત હિંમતનગર જૈન દેરાસરની શિલા સ્થાપનની જવાબદારી પણ તેમણે ઉપાડેલી. એ જ રીતે મુંબઈમાં પણ ભૂમિપૂજન કરાવેલું. આમ એમના જીવન દરમ્યાન એમણે જેન ધર્મ તેમ જ દેરાસરે સાથે ખૂબ જ આત્મીયતા અને નીડરતા સાધી. ધર્મસેવામાં ચિત્ત પરેવ્યું. તેમણે બે વાર સમેતશિખરજીની યાત્રા કરેલી. આમ શાન્તાબહેને સાચાં ધર્મપરાયણ તપસ્વિની અને જેના કાર્યકર તરીકે સેવા બજાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org