________________
૨૦૨ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ટ્રસ્ટ—કા. સ. શ્રી કવેતામ્બર એજ્યુકેશન બોર્ડ –ક. સ.
સને ૧૯૪૯માં તિરૂવણ મલૈયા–તામિલનાડુના સંત રમણ મહષિનાં દર્શન-સમાગમ કર્યા. વિશિષ્ટ વ્યક્તિઓના દર્શન-સમાગમ અને કૃપાદૃષ્ટિ તથા પત્રવ્યવહારથી ખૂબ પ્રેત્સાહન મળ્યું. ભારત જેન મહામંડળના ૪રમા મણિ મહત્સવ અધિવેશનમાં તા. ૨૧ માર્ચ ૧૯૭૬ના હૈદ્રાબાદમાં તેમને “સમાજબંધુ”નું બિરુદ પદાર્પણ થયું. બીજી કેટલીક સંસ્થાઓ તરફથી પણ પ્રસંશાપત્ર મળ્યા અને ૧૯૩૫માં મહેતા હરખચંદ તુલસીદાસનાં પુત્રી કાંતાબહેન સાથે લગ્ન થયા. તેઓ ધાર્મિક શ્રદ્ધાવાન છે. તેમને ત્રણ પુત્ર તથા બે પુત્રીઓ છે.
શ્રી જૈન . કોન્ફરન્સ ટેન્ડિંગ કમિટીના સભ્ય છે.
સૌજન્યમૂર્તિ શ્રી દીપચંદભાઈ એસ. ગાડ
શ્રી દીપચંદભાઈ સૌરાષ્ટ્રના સપૂત છે પડધરીના વતની છે અને જૈન કુટુંબમાં જન્મ પામવાને લીધે જેન તરીકે ઓળખાયા છે; પણ આજે તેમનું માનસ સર્વ પ્રકારની સંકીર્ણતા કે સાંપ્રદાયિકતાને ભેદીને માનવધર્મના મહાશિખર સુધી પહોંચ્યું છે.
શ્રી દીપચંદભાઈનું પ્રારંભિક શિક્ષણ પડધરીમાં જ થયું. તે પછી તેઓ વાંકાનેર ગયા અને ત્યાંની હાઈસ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા આપી સારા માટે પસાર થયા.
કૌટુંબિક સંયોગ સારા ન હતા, પણ શ્રી દીપચંદભાઈની વિદ્યાભ્યાસની લગની અનેરી હતી, એટલે તેમણે જાતમહેનતથી સાધને ઊભાં કરી સંપૂર્ણ અભ્યાસ કર્યો. ત્યારબાદ સને ૧૯૩૬માં મુંબઈ આવ્યા અને સ્વતંત્ર કમાણી કરી આગળ અભ્યાસ કરવા લાગ્યા. આ રીતે તેઓ બી. એસસી. થયા. હજી પણ આગળ અભ્યાસ કરવાની ઇચ્છા હતી, એટલે તેમણે કાયદાને અભ્યાસ શરૂ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org