________________
૧૨ Y
। આપણા શ્રેષ્ઠીવર્યા છે. ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં લીધેલું તં યુગેા પછી મેાહનલાલ કરમચંદ ગાંધી નામના મહામાનવમાં નવા રૂપે અવતરે છે, અને જેમ શ્રીકૃષ્ણે તે જમાનામાં આશ્ચર્ય ફેલાવ્યુ હતુ, તેમ મહાત્મા ગાંધી આ જમાનામાં વિશ્વને આશ્ચયમાં ગરકાવ કરી દે છે. એવી જ રીતે ચન્દ્રથી માંડીને સરદાર પટેલ સુધી યુગે યુગે નવનિર્માણ પામ્યા કરેલું સે।મનાથનું મંદિર, ગિરનારના અશોકના શિલાલેખ, ઘૂમલીનું સ્થાપત્ય, સિદ્ધપુરના રુદ્રમાળ, પાટણનું સહસ્રલિંગ તળાવ, માઢેરાનુ' સૂર્ય મંદિર, તળાજાના એભલમ’ડપ, શત્રુજયનાં દેરાસરો, કુંભારિયાનાં દેરાસરા, વડનગરનું તાપણુ, જૂનાગઢનાં અડીકડી વાવ ને નવઘણ કૂવા, ભાઇની હીરાભાગેાળ, અડાલજની વાવ, અમદાવાદના ઝૂલતા મિનારાવાળી મસ્જિદ અને સીદી સૈયદની જાળી, ભાવનગરની ગગા દેરી અને રાજા-મહારાજાઓના મહેલા આદિ ઇત્યાદિ ગુજરાતી પ્રાચીન–મધ્યકાલીન કળા અને સમૃદ્ધિનાં પ્રતીક છે.
આ પ્રદેશમાં દુર્વાસા, ભારદ્વાજ, વેદવ્યાસ અને શુકદેવજી સમા મહિષ એના આશ્રમેા હતા. સ્વયં યાગમૂતિ શ્રીકૃષ્ણથી માંડીને ગુરુ દત્તાત્રેય, શ્રી રંગઅવધૃત મહારાજ, ભગવાન લકુલીશ, શ્રીમદ્ વલ્લભાચાય જી, શ્રી સહજાન ંદ સ્વામી, શ્રી દયાનંદ સરસ્વતી, જલારામ બાપા અને અન્ય અનેક સપ્રદાયાના નાના-મેટા આરાધકા, યેગીએ, જ્ઞાનીએથી આ ભૂમિ પાવન થઈ છે. મહાકવિ ભટ્ટી અને મહાકવિ માઘ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાય અને શાસનસમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, ભિક્ષુ અખંડાનદ અને સતબાલજી ધાર્મિક પ્રવૃત્તિએના સમર્થ સંસ્કારવ કા હતા.
નાલંદા અને તક્ષશિલાની યાદ આપતી મહાન વિદ્યાપીઠ વર્તુભી ' આજના વલભીપુરે વિસ્તરી હતી. ત્યારથી માંડીને ભાવનગર, ગોંડલ, જૂનાગઢ, વડાદરા આદિ રાજવીઓની શિક્ષણપ્રીતિએ ભવ્ય પરંપરા સ છે. અર્વાચીન કાળમાં ગ્રામવિદ્યાના પાયા નાંખનાર નાનાભાઈ ભટ્ટની લાકભારતી ', બાલશિક્ષણના પ્રણેતા ગિજુભાઈ બધેકાની ‘ દક્ષિણામૂર્તિ ’, વડાદરામાં ‘જીવનભારતી’, માંગરાળમાં ‘ શારદાગ્રામ’, અલિયાબાડામાં ‘ગગાજળા વિદ્યાપીઠ ’,
6
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org