________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૧
વારસા છે, ગંપૂર્ણ વૈભવ છે. જેમ, બળકટ જમીનમાંથી અંકુરિત થતા છેડ ધીંગુ વ્યક્તિત્વ ધારણ કરતા આભને આંખે તેમ આ ભૂમિનું ધાવણ ધાવીને જન્મેલા-ઊછરેલા ગુજરાતી માનવસસ્કૃતિના ઇતિહાસમાં ભવ્ય અને ઉન્નત વ્યક્તિત્વ ધરાવે છે. પ્રાચીન કાળની નાગરિકતા, કળા, તત્ત્વજ્ઞાન, ધર્મ પ્રવૃત્તિઓ, સામાજિક પ્રથાએ, ખેતી, વેપારઉદ્યોગ, વિદ્યાએથી માંડીને આજે રાજકારણથી વિજ્ઞાનક્ષેત્ર સુધીના પ્રલંબ પટમાં ગુજરાતી પ્રજાનું સ્થાન ગૌરવવંતું છે. એટલે તેા ભગવાન શ્રીકૃષ્ણથી માંડીને પારસીએ અને અંગ્રેજોએ આ ભૂમિ પર વસવાટ કરવાનું મુનાસિબ માન્યું હતું.
વેદકાલીન સંદર્ભોમાં ચદ્રની આરાધનાનું મહાતીર્થં ભગવાન સામનાથ શિવભક્તિનું પ્રવર્તક હશે, તેમ દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અહીંથી જ સારાયે ભારતવર્ષમાં પ્રસરી હશે ! મત્રકકાલીન ગુજરાતમાં વલ્લભી સામ્રાજ્ય સાથે બૌદ્ધ ધર્મના ભવ્ય ઇતિહાસ વણાઈ ચૂકળ્યો છે, તે સેાલકી સમ્રાટોના કાળમાં જૈન ધર્મના ડંકા આખા યે પ્રદેશ પર વાગી ચૂકત્રો હતા એની પ્રતીતિ આજે પણ શત્રુ જયગિરિનાર—આજી પરનાં કલાત્મક દિશ કરાવી રહ્યાં છે. સ્વામિનારાયણ અને આયસમાજનાં આંઢેલના જગવનાર આ ભૂમિ છે; તે ઇસ્લામ અને પારસી ધર્મ સાથે સહકારથી વનાર પણ આ પ્રજા છે એ ઇતિહાસને તપાસવા દૂર જવુ પડે તેમ નથી. સુવર્ણની દ્વારિકાની સમૃદ્ધિનાં વણુના તે કાળની રિદ્ધિસિદ્ધિના પરિચાયક છે; તેા વલ્લભી વિદ્યાપીઠની મુલાકાતે આવેલા ચીની મુસાફરનાં વના તે કાળની સમૃદ્ધિનો ચિતાર આપનારાં છે. ત્રિભુવનગ’ડ સિદ્ધરાજ જયસિંહના સમયની કળા-સાહિત્ય-ધમ – સમાજસુધારાની પ્રવૃત્તિએ આજે પણ જીવતીજાગતી ખડી છે; તા અહમદશાહની સલ્તનતના વૈભવ શિલ્પ-સ્થાપત્યમાં કોતરાયેલા જોવા મળે છે. અલેકઝાંડર કિન્લોક ફાર્બસે શરૂ કરેલી સાહિત્યસંસ્થાએ આજે પણ ગુર્જર પ્રજાને પોષી રહી છે; તેા એક બાજુ વડાદરાની ગાયકવાડી સત્તા અને કાઠિયાડના મસા એ રજવાડાંઓમાંથી ઘણાંએના લેાકેાપકારી વહીવટ ભવ્ય પરંપરાના વારસા ખંડા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org