________________
૧૯o]
[ આપણા શ્રેષ્ઠીવર્યો કરવામાં મુખ્ય સેવા આપી. માતાજીના મંદિરના ઉદ્ધાર તથા માતાજી કનકાઈના સ્વરૂપની પ્રતિષ્ઠા તેમણે હાથ ધરી છે. હાલ આ કમિટીના પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યા છે. વર્ષો પહેલાં ચાવંડ ગામના ઉત્કર્ષ માટે ચાવંડ ગ્રામ સેવા સમિતિની સ્થાપનામાં તથા તેમના મંત્રી તરીકે સેવા આપી. ચાવંડના કેરજીના ચરાનો જીર્ણોદ્ધાર કરવામાં મદદ કરી. દવાખાનું (એલેપથી) શરૂ કરાવ્યું. ચાવંડ-લાડી માર્ગ ઉપર પાણીનું પરબ વગેરે ધાર્મિક કાર્યો કરતા રહ્યા છે.
ભારતની લગભગ પૂરી ધર્મયાત્રા કરી છે. માતાજી કનકાઈના પરમ ભક્ત છે. લીધેલું કામ પૂરું કર્યું છૂટકે કરે એવો એમને સ્વભાવ છે. અને આ ચાવંડ ખાતેનું માતાજી કનકાઈનું મંદિર નવેસર બંધાવી તેમાં માતાજી કનકાઈના સ્વરૂપની પ્રતિષ્ઠા તેમના હાથે કરવામાં આવી. આ પ્રસંગે ધ્વજારોપણ-શતચંડીયાગ પણ તેમના યજમાનપદે કરવામાં આવ્યાં.
શ્રી દામોદરદાસ ઠાકરશીભાઈ મૂળ ભાવનગરના વતની ઘોઘારી સમાજના કાર્યક્રમમાં અને જ્ઞાતિહિતની પ્રવૃત્તિઓમાં મહત્ત્વને ભાગ ભજવ્યો. ગુપ્તદાનમાં ખાસ માનનારા. ઘોઘારી જૈન મિત્રમંડળમાં ખજાનચી તરીકે અને કેળવણક્ષેત્રે સારે એ રસ લે છે. દર વર્ષે દશેક હજાર રૂપિયા જેવી રકમ ગુપ્તદાનમાં જરૂરિયાતવાળાને આપે છે.
નેહ, શક્તિ અને સહનશીલતા જેવા ગુણોને લઈ વ્યાપારી આલમમાં ઘણું માનપાન પામ્યા છે. પુણ્યશાળી, દરિયાવદિલના, કમળ હૃદયના આ સજજન કેઈ પણ જાતની દલીલ વગર સૌનું કામ કરી આપવામાં માને છે અને શાંત, આડંબર વિનાનું જીવન
ગુજારે છે.
ભારતનાં મોટા ભાગનાં જૈન તીર્થોની યાત્રા કરી આવ્યા છે. છેલ્લા સાઈઠ વર્ષથી હરિચંદ મીઠાભાઈની પેઢીનું સફળ સંચાલન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org