SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન થે ]. [ ૧૯૧ કરી રહ્યા છે. ૧૦૫ વર્ષની ઉંમરે આજે પણ તાજગીભર્યું જીવન વ્યતીત કરે છે. ઘોઘારી મિત્રમંડળ તરફથી સમેતશિખરની પેશ્યલ ટ્રેઈન વખતે રડા ખાતું સંભાળ્યું. ઘઘારી સમાજના નેજા નીચે પ૬ સામૂહિક લગ્ન પ્રસંગે તન, મન, ધનથી સુંદર સેવા બજાવી છે. શ્રી દિગ્વિજ્ય બી, બદિયાણી (નાશિક) આ જગતના ચોકમાં માનવીનું ઘડતર એને કર્મવેગ કરે છે. કરોડપતિ હો કે કારકુન, કારખાનાદાર હો કે દુકાનદાર વેપારી હો કે વિદ્યાથીઓ, સર્વની જીવનસિદ્ધિની ઈમારત એની નિષ્ઠા અને નૈતિકતા તથા પ્રયત્નના પાયા પર ચણતર પામે છે. નાશિકના યુવાન સમાજસેવક શ્રી દિગ્વિજયભાઈ બાબુભાઈ બદિયાણી (કાપડિયા) આવા કમલેગીની બહુમુખી પ્રતિભા ધરાવે છે. જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં કિસ્મત અજમાવવા આવેલા લહાણ પરિવારમાં શ્રી દિગ્વિજયભાઈનો જન્મ ઈ. સ. ૧૯૪પના જુલાઈ મહિનાની ત્રીજી તારીખે થયે હતે. નાશિકની મુખ્ય બજારમાં તેમના પિતાશ્રી બાબુભાઈને કાપડને ધમધોકાર વ્યાપાર ગાજતા હતા. સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મેખરે રહેતા હતા. આ સ્વ. પિતાને સેવાવાસે યુવાન દિગ્વિજયભાઈ એ દીપાવ્યો છે. - શિક્ષણની સૃષ્ટિમાં અવિરત આગેકૂચ કરતા શ્રી દિગ્વિજયભાઈ કેલેનાં પગથિયાં સર કરીને બી. કેમ. સુધી, એમ. કેમ તથા એમ. બી. એ સુધી પહોંચવા ઉપરાંત શિક્ષણની અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પીએચ. ડી. પણ થઈ રહ્યા છે. અભ્યાસની અવિસ્ત આગેકૂચ વચ્ચે ઈ. સ. ૧૯૭૪માં પિતાશ્રી બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસે પરિવારના કાપડના વ્યવસાય બાબુભાઈ કલોથ સ્ટોર્સ”નાં સૂત્રો સંભાળવા પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને ઉન્નત કક્ષાએ મૂકી દીધે હતો. તેમના કાપડ–વ્યવસાયને દર માત્ર નાશિક પૂરતે જ સીમિત રહ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy