________________
૧૮૮ ]
[ આપણે શ્રેષ્ઠીવર્યો ખરીદી આગળ કાર્યવાહી ચલાવી રહ્યા છે. ધાર્મિક કાર્યોમાં રસ લેતા શ્રી તલકચંદભાઈએ પૂજ્ય આચાર્ય ચંદ્રોદય વિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબના આદેશ અનુસાર ૧૦૮ દર્શન મંદિરમાં પણ મેટું દાન આપેલ છે. તેમનાં આવાં મોટાં દેનાથી પ્રભાવિત થઈ જેન આગેવાને અને ખાસ કરીને ગોડીજી જૈન સંઘે પૂજ્ય આચાર્ય ચંદ્રોદયવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં સંવત ૨૦૩૩માં તેમનું સેનાના એક કિંમતી થાળ વડે બહુમાન કરેલું. શ્રી તીલેકચંદભાઈ એ ખૂબ જ નમ્ર અને કર્તવ્યભાવનાથી સુંદર જવાબ આપેલ હતો.
ધાર્મિક ક્ષેત્ર સાથે સામાજિક, તબીબી અને કેળવણી ક્ષેત્રમાં પણ જાણીતા છે. તેમના જન્મસ્થાન (મૂળ વતન) નેનાવામાં તેમનાં પૂજ્ય માતુશ્રી સ્વ. કનીબાઈનું નામ જોડીને “કનીબાઈ ધુડાલાલ જનરલ હોસ્પિટલ” બનાવેલ છે. ધાનેરામાં ધર્મશાળાધવલ ધર્મશાળા-સાટામાં પણ ધર્મશાળા બંધાવેલ છે. કેળવણીક્ષેત્રમાં વરકાણુ-રાજસ્થાનમાં જેન ડિ"ગમાં મુખ્ય હેલનું નામ આપવા માટે મેટું દાન આપેલ છે. પત્રિકાના આજીવન સભ્ય છે. રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિ કાર્યકરને હંમેશ સહકાર આપે છે. અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રી તલકચંદભાઈને પરિવારમાં તેમનાં આદર્શ ધર્મપત્ની ત્રણ પુત્રીઓ તથા બે પુત્રો છે. મોટો પુત્ર ચિ. દિનેશ. કોલેજમાં બી. કોમ. સુધી અભ્યાસ કર્યો છે. ચિ. વિજયકુમાર અભ્યાસમાં ખૂબ જ ચપળ – ૮૭ ટકા એસ. એસ. સી.માં. તેઓ ખૂબ સમૃદ્ધ બને અને જાહેર ક્ષેત્રમાં સિદ્ધિઓ મેળવે તેવી શુભેચ્છાઓ.
અમદાવાદ-વાસણામાં મૂળનાયકની દેરાસરની પ્રતિષ્ઠા કરાવેલ. ગભારા ઉપર માતુશ્રીનું નામ કનીબાઈ આપવામાં આવેલ છે. મેઈનડોર ઉપર પિતાશ્રીનું નામ આપવામાં આવેલ છે. વૈશાખ સુદિ સાતમના ભીલડીઆજીમાં પ્રતિષ્ઠા કરેલ છે. સુપુત્ર શ્રી દિનેશના હાથે વૈશાખ સુદિ સાતમને દિવસે શંખેશ્વરમાં, વૈશાખ વદિ બીજને દિવસે ૧૦૮ દર્શન, ૧૦૮ શંખેશ્વર પાર્શ્વનાથનું મંદિર બની રહ્યું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org