________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૮૭ શ્રી તીલચંદ ડી. શાહ તેમનો જન્મ તા. ૩-૧-૧૯૩૨ના રોજ બનાસકાંઠામાં અને ગુજરાત-રાજસ્થાનની સરહદે આવેલા નાના એવા ગામ નેનાવામાં થયે હતું. તેમનાં માતા સ્વ. કનીબાઈ જેન ધાર્મિક સંસ્કારથી ખૂબ જ રંગાયેલાં તેથી બાળપણથી જ શ્રી તલકચંદભાઈમાં જૈન ધર્મના સંસ્કાર સુદઢ થયા. નાની ઉંમરમાં અ.સૌ. કનીબાઈ સ્વર્ગસ્થ થયાં અને તીલેકચંદભાઈ તેમના પૂજ્ય પિતાશ્રી ધૂલચંદભાઈ પાસેથી વ્યાપારના પાઠ શીખ્યા. બિનલેહધાતુ (નેનફેરસ મેટલ)ને ધંધો શરૂ કર્યો. પિતાની તીકણ બુદ્ધિ, આગવી અનુમાનશક્તિ (કેઠાસૂઝ), બજારની રૂખ પારખવાનું કૌશલ્ય વગેરે ગુણેથી કિશોર અવસ્થામાં જ નોન-ફેરસના ધંધામાં આગળ વધ્યા અને તેઓ સફળ રીતે પારંગત થયા.
માત્ર ૧૭ (સત્તર) વર્ષની ઉંમરે તીલેકચંદ ડી. શાહ એન્ડ કુ. નામથી વ્યાપારી પેઢીની સ્થાપના કરી અને તેમાં પિતાશ્રીની બિલકુલ સહાય લીધી નહિ. પોતે સ્વતંત્ર રીતે ધંધો શરૂ કર્યો અને સફળતાના શિખરો સર કરતા ગયા. આજે ગુલાલવાડીમાં નોનફેરસ મેટલમાં તીલેકચંદ ડી. શાહ એન્ડ કું. અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. તેઓશ્રી બબ્બે મેટલ એચેન્જ લિ.ના સભ્ય છે. બોમ્બે નોન-ફેરસ એન્ડ સ્કેપ મરચન્ટ એસેસિયેશનના પણ સભ્ય છે. તે ઉપરાંત બીજી પ્રખ્યાત ધાર્મિક સંસ્થાઓ (હરેકૃષ્ણ હરેરામ) આંતરરાષ્ટ્રીય સંસ્થાના આજીવન સભ્ય છે. ડાઈનસ કલબના સભ્ય છે. ધાનેરા આરોગ્ય સમિતિના કાયમી કાર્યવાહક સભ્ય છે. શંખેશ્વરમાં ધાર્મિક ક્ષેત્રમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓશ્રીએ જૈન યાત્રાસ્થળેએ વ્યાપક પ્રવાસ ખેડેલ છે. તે સાથે દાનને પ્રવાહ પણ વહેવડાવેલ છે. શંખેશ્વરની એક મોટી ધર્મશાળામાં મોટું દાન આપી તેમના પૂજ્ય પિતાશ્રીનું નામ જોડાવેલ છે અને શ્રી ધૂલચંદ બેચરજી શાહ (નેનાવાવાળા) એવું નામ આપવામાં આવેલ છે.
પાલીતાણું જૈન ધર્મ ક્ષેત્રમાં પણ ધર્મશાળા માટે એક પ્લેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org