SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો શ્રી તાહેરઅલી ઈસ્માઈલજીભાઈ મુંબઈની દારૂખાના બજારમાં લોખંડના અગ્રગણ્ય વ્યાપારી તરીકેનું માનભર્યું સ્થાન પામનાર શ્રી તાહેરઅલીભાઈ અમરેલી જિલ્લાના બગસરાના વતની છે. ઘણાં વર્ષોથી એટલે કે ૧૯૩૭થી પિતાશ્રીના ધંધામાં જોડાયા. મુંબઈ આવી સ્થિર થયા અને ધંધાને પિતાની કુશાગ્ર બુદ્ધિથી વિકસાવ્યો. ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સામાજિક સેવાની ભાવના અને સેવાકાર્યની લગની છાની નથી રહી. મેઘાણી મરક સમિતિ (મુંબઈ)ની કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે સારું એવું થાન શોભાવ્યું છે. દારૂખાના આયર્ન મરચન્ટ એસેસિયેશન લિ.ના ડાયરેકટર તરીકે, ઓલ્ડ આયર્ન મરચન્ટ એસેસિયેશનના કાર્યવાહક મેમ્બર તરીકે રહીને સારું એવું કામ કર્યું છે. તેમના પિતાશ્રી પણ ધર્મભાવનાથી રંગાયેલા અને સંયમી હતા. અને તેમના પુત્ર તરફથી અમરેલીમાં આંખની હોસ્પિટલમાં ફ્રી બેડ રાખેલ છે, ઉપરાંત જીથરી ટી. બી. હોસ્પિટલમાં પણ ફ્રી બેડ છે. સ્વ. શ્રી ત્રિભોવનદાસ મનદાસ ભુતા રાજુલાના વતની અને ધંધાથે ઘણાં વર્ષોથી મુંબઈ-પૂના તરફ વસવાટ કરી રહ્યા હતા. નાની વયમાં વ્યાપારક્ષેત્રને બહોળે અનુભવ અને દીર્ધદષ્ટિને લઈ ધંધામાં આગળ આવ્યા અને સત્કામાં સંપત્તિનો ઉપયોગ કરતા રહ્યા. ઘેલા સોમનાથ મંદિરમાં તેમનો ફાળો અનન્ય છે. લાપરના શંકરના મંદિરમાં, રાજુલાની નાની-મેટી બધી જ સાર્વજનિક સંસ્થાઓમાં, તુલસીશ્યામ અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાનનો અવિરત પ્રવાહ ચાલુ રાખે. શેઠશ્રી ત્રિભોવનદાસભાઈને તા. ૧૯-૧૦-૭૩ના રોજ અચાનક સ્વર્ગવાસ થયો અને સુકૃત્યની સુવાસ મૂકતા ગયા. રાજુલાની પાંજરાપોળ પ્રવૃત્તિમાં અને કેળવણીની દિશામાં ઉદાર સખાવત કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy