________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૮૫ દેશભરની સેંકડે સંસ્થાઓએ તે પછી શ્રદ્ધાંજલી અપી હતી. સમાજકલ્યાણનાં એમણે કરેલાં કાર્યો તેમનાં જીવતાં સ્મારકે બની રહ્યાં છે. એક સરળ કર્મયેગી જેવું એમનું જીવન નવી પેઢીને ખરેખર પ્રેરણાદાયી બની રહેશે. કારણ કે તેમણે પ્રાપ્ત કરેલી સાત્વિક લક્ષ્મીનું સમાજનાં ધપયેગી કાર્યોમાં જ સદ્વ્યય કરવાનું કુશળ અને દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયેાજન એ એમના જીવનની વિશિષ્ટતા હતી.
તેમની દાનસરિતાના પુનિત સોતે અનેક દિશાઓમાં વહીને જ્ઞાતિ અને સમાજગંગાનાં નિર્મળાં નીરને વિશેષ ઉજજવળ અને ઊર્ધ્વગામી બનાવ્યાં છે.
આ પુણ્યશાળી આત્માએ કરેલાં કાર્યોની નોંધની યાદી લખીએ તે પણ એક જુદું જ પુસ્તક લખવું પડે. અપ્રતિમ અને અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી જે પ્રકાશપુંજ સર્વત્ર ફેલા અને સુમધુર સુવાસ આપી ગયો. લાખ-લાખ વંદના છે એ મહાપુરુષને, એ સેવાપરાયણ આત્માને. કારણ, એ ધર્માનુરાગીએ કયારેય સંસારનાં સુખને પ્રાધાન્ય આપ્યું જ નહોતું. દયા, દાન અને ધર્મ એમના જીવનમાં ઓતપ્રેત બની ગયેલાં.
- ઉમદા વિચારે અને આદર્શોથી જીવન જીવી જનાર આ ધર્મમૂતિ ખરેખર સંસાર સાગર સફળતાથી પાર ઊતરી ગયા. સેંકડો લકોએ આપેલી શ્રદ્ધાજલી એ જ એમના જીવનની ફળશ્રતિ છે. અનેકે ઉપર એમણે જ પ્રેમપૂર્ણ વાત્સલ્યતા વરસાવી છે એ જ એમના ધન્ય જીવનનું પાસું છે. જીવન દરમ્યાન ઉચ્ચતમ કેટિનાં વ્યવસ્થિત કાર્યો કરી જનાર એ મેધાવી પુરુષ યુગ યુગ સુધી સૌનાં હૈયાંમાં અમર બની રહેશે. તેમના પરિવારમાં શ્રી રમણીકભાઈ સ્વ. શ્રી હરકીશનભાઈના વારસદારે શ્રી શરદભાઈ શ્રી ચંદ્રકાન્તભાઈ વગેરેએ ઉજજવળ પ્રણાલિકા જાળવી રાખી છે.
શ્રી તારાચંદભાઈનો સ્વર્ગવાસ થતાં તેમની ઉત્તરકિયાને દિવસે તેમના પરિવારે રૂપિયા એકાવન લાખના દાનની જાહેરાત કરી છે. ઉપરાંત એક કરેડના ટ્રસ્ટમાં રૂપિયા પચીસ લાખ વધુ ઉમેરવાની પણ જાહેરાત કરી છે. ઉત્તરક્રિયા પ્રસંગે આટલી મોટી રકમનું દાન અગાઉ થયાનું જાણમાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org