________________
૧૮૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો પારમાર્થિક જીવનની ચિરંજીવ યાદ-ત લાખો માન માટે પ્રેરણાદાયક અને પથદર્શક બની રહેશે.
તેમના સ્વર્ગવાસ પછી હજારે નાનીમેટી સંસ્થાઓએ નતમસ્તકે તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કારણ કે તેમણે જે કાંઈ કર્યું છે તે નિરપેક્ષભાવે, ઉચિત સ્થળે સૂક્ષ્મ અને ઊર્ધ્વ હેતુઓ માટે પ્રચાર કે પ્રશસ્તિની અપેક્ષા વિના કર્યું છે. આવા દિલેર દાતાઓ આંગળીને વેઢે ગણી શકાય તેવા છે. મૂલ્યનિષ્ઠાને તેમણે હમેશાં બિરદાવી છે, તેમ પ્રામાણિક કાર્યકરને–કલાકારોને પ્રોત્સાહિત પણ કર્યા છે. લક્ષ્મી પ્રાપ્ત કરીને પોતાના જીવનની હયાતીમાં જ લક્ષ્મીને સદુઉપગ કરે એ ઇતિહાસમાં વિરલ ઘટના બની રહેશે. સદ્ગત દાનવીર તો હતા જપણ જમણે હાથ આપે એ ડાબે હાથ ન જાણે એ ભાવના દ્વારા એમણે દાનની પવિત્રતા જાળવી રાખી હતી, સમાજને એક સુંદર અને અદ્ભુત દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે.
સમાજજીવનના એક એક ક્ષેત્રમાં સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જીવન વિતાવ્યું. ખરેખર તે જીવન જીવતાં આવડ્યું અને જીવન ધન્ય બનાવ્યું.
સમાજે એક સખાવતી, સેવાભાવી અને માર્ગદર્શક શ્રેણી ગુમાવ્યાની ખોટ વર્ષો સુધી ન પૂરી શકાય તેવી છે. દીન-દુઃખિયાંના બેલી તરીકે જે જીવન જીવી ગયા, તેથી સેંકડો વ્યક્તિઓએ આંસુ સાર્યા છે. આ પુણ્યાત્માના સ્વર્ગવાસથી અનેક સંસ્થાઓએ ભારે મેટા દુઃખ અને આઘાતની લાગણી અનુભવી છે. ધન અને શક્તિને સ્ત્રોત તેમણે જનસેવા માટે જ હંમેશાં વહાવ્યો એ એમના જીવનનું ઊજળું પાસું ગણી શકાય. અખૂટ સંપત્તિના સ્વામી બનવા છતાં દાસ થઈને જ જીવ્યા. લેશમાત્ર અહમ નહીં, સદાય હસતે ચહેરે, મળતાવડે સ્વભાવ, સાદાઈ અને સૌને યત્કિંચિત રીતે સહાયક બનવાની ઉત્કટ લાગણી–આ એમના જીવનને નિચેડ હતે.
તા. ૧૧-૧૧-૮૬ના મંગળવારના રોજ મુંબઈ ખાતે શ્રી તારાચંદભાઈએ ૮૧ વર્ષની ઉંમરે આ ફાની દુનિયાનો ત્યાગ કર્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org