________________
૧૮૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા ૧૯૨૬માં તકદીર અજમાવવા એડન ગયા. ત્યાં એમણે ભારે પુરુષાર્થ વડે સારી એવી પ્રગતિ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં. અને તે પછી ૧૯૪૦માં મુ’બઈમાં આવી ધાંધાકીય ક્ષેત્રે અદ્ભુત વિકાસ સને અઢળક સ'પત્તિના સ્વામી બન્યા. જૈન સમાજના ઇતિહાસમાં દાન અને સખાવતા કરનારા શ્રેષ્ઠીઓના ઔદાયની પરપરા સૈકાઓથી ચાલે છે; પણ તેમાં યશકલગી સમાન બની રહે તેવા દાનની નવી પ્રણાલિકા તેઓ સ્થાપતા ગયા.
સાંપ્રત સમયમાં એકીસાથે રૂપીઆ એક કરોડ જેવી માતબર રકમની સખાવત જાહેર કરીને પાતાને નામે એક ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી. તેમાંથી દર વર્ષે ઊભી થનારી પદર લાખ જેવી મેટી રકમમાંથી લાકહિતનાં વિવિધ કાર્યો દર વર્ષે થશે.
તેમનાં ધર્મપત્ની શ્રીમતી સમરતબહેનને નામે પણ રૂપિયા પાંચ લાખનું એક અલગ ટ્રસ્ટ બનાવ્યું. તેમાંથી ઊભી થનારી રકમ ધાર્મિક કાર્યોમાં વપરાશે. આવી ભવ્ય ઉદારતા દાખવવા અદલ અખિલ ભારતીય જૈન વે. કેન્ફરન્સ તથા સાર વીસા શ્રીમાળી જૈન સમાજ તરફથી તેમનું જાહેર સન્માન થયું હતું. તેમના અંગત જીવનની વિનમ્રતા, સાદાઈ અને સૌ કોઈ ને સદા આવકારતી હૃદયની વિશાળતા – આ બધું શ્રીમંત વ્યક્તિઓમાં વિરલ જોવામાં આવે છે. તેમણે કન્યા-કેળવણીનાં કાર્યોમાં પણ ઊંડો રસ લીધે.
માદરે વતન મજેવડી મધ્યે ઉપાશ્રય, દેરાસર, એ વિદ્યામંદિરે, શેઠ દેવકરણ મૂળજી જૈન એડિંગ-રાજકોટ, શ્રી શત્રુંજય હાસ્પિટલ પાલીતાણા; શ્રી વીરાણી હેાસ્પિટલ રાજકોટ, શ્રી કેશવલાલ તલકચંદ હોસ્પિટલ—રાજકોટ; વગેરેમાં માતબર રકમની દેણગી આપેલ છે.
સાર વીશા શ્રીમાળી જૈન સમાજ, કસ્તુરબા વિકાસગૃહ, અને અ`ધશાળા—જામવંથળીમાં માનવસેવા સંઘમાં ઉચ્ચતમ સેવા આપી છે.
મહાવીર હાર્ટ ફાઉન્ડેશન, પંડિત રત્નચંદ્રજી કન્યાશાળા, જામનગર; દેરાસર વગેરેમાં તેમના સહયોગ સારા હતા. માનવીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org