________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૮૧ જ દૂધને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને આ ધંધામાં ભારે કુશળતા અને સફળતા પ્રાપ્ત કરી. શ્રી તલકચંદભાઈએ પિતાના ધંધાને ખીલવ્યે; પરંતુ મન દુર્બળ બને, આધ્યાત્મિક જીવનને રસ ઊડી જાય, નૈતિક અને ન્યાયની સારાસારની દ્રષ્ટિ નષ્ટ થઈ જાય, એ પ્રકારનું ધન મેળવવા મૂળથી જ તેમનું લક્ષ્ય ન હતું. વર્તમાનકાળમાં પરિવર્તનની પરિસ્થિતિને કારણે, દૂર દૂરનાં ગામમાં વસતાં આપણાં સિઝાતાં સાધર્મિક ભાઈ-બહેનને આપણા સમાજના સુખી અને સાધનસંપન્ન ભાઈઓએ સહાયરૂપ બનવું જોઈએ, એ વિચાર સૌથી પ્રથમ તલકચંદભાઈને આવ્યું. આ વિચારની ફલશ્રુતિરૂપે મુંબઈમાં સં. ૨૦૨૨ની સાલમાં શ્રી ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સહાયક ફંડ સંસ્થાની સ્થાપના થઈ. શ્રી તલકચંદભાઈ આ સંસ્થાના મુખ્ય કર્ણધાર બન્યા. આપણું દુઃખી સાધર્મિક ભાઈ-બહેનની વિકટ આર્થિક પરિસ્થિતિમાં બની શકે તેટલી હદે સહાયરૂપ બનવું એ આ સંસ્થાનું પાયાનું ધ્યેય હતું.
સ્વ. શ્રી તારાચંદ ધનજીભાઈ મહેતા જેમનું સમગ્ર જીવન સાહસ અને પુરુષાર્થની અનન્ય ઊજળી કિતાબ જેવું રહ્યું, જેમનાં અનુકરણીય અને માનવતાનાં કાર્યો યુવાન પેઢીને અને આજના શ્રીમંત વર્ગને પ્રેરણાની પગદંડી બની રહે તેવાં હતાં, અને જેઓ મનસા-વાચા-કર્મણા સમાજ, શાસન અને ધર્મના અભ્યદય માટે પ્રદાન અર્પણ કરવા જીવનભર અનુગ્રહી રહ્યા એવા સાચા આત્મવાન અને તનિષ્ઠ મહાનુભાવ શ્રી તારાચંદભાઈ મહેતા પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં હમણાં જ સ્વર્ગવાસી થયા. આજ સુધીમાં તેમના સદ્ભાગી હાથ વડે જે જે સુંદર કાર્યો થયાં તેમાંથી જ તેમના ઉજજ્વળ જીવનની નવી ફેરમ પ્રગટતી રહી છે.
સાહસ અને પુરુષાર્થના પ્રતીક સમા શ્રી તારાચંદભાઈનું જીવન પ્રેરણામય રહ્યું. તેઓ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. મધ્યવગી કુટુંબમાં જન્મ્યા હતા પણ યુવાન વયે સને છે. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org