SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ] . [ આપણા શ્રેષ્ઠીવર્યો જોન કેન્ફરન્સ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે તેમનું જીવન સ્પષ્ટ ધ્યેય તરફ હંમેશાં પ્રવૃત્તિશીલ રહ્યું છે. એમની ખાનદાની, ખેલદિલી, નમ્રતા અને ધર્મપરાયણતાના સણોએ એમના ઊજળા વ્યક્તિત્વમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેમનું જ્ઞાન અને માર્ગદર્શન અનેક સંસ્થાઓને હંમેશાં મળતું રહ્યું છે. શ્રી કરશીભાઈ વીરા નીચેની સંસ્થાઓ સાથે ભૂતકાળમાં અને અત્યારે સંકળાયેલા રહ્યા છે પ્રમુખશ્રી–કચ્છ દેવપુર મુંબઈ મહાજન. પ્રમુખશ્રી–કચ્છ દેવપુર વર્ધમાન તપ આયંબીલ ખાતું. સ્થાપક ટ્રસ્ટીશ્રી–અખિલ ભારત અચલગચ્છ જૈવેતામ્બર જૈન સંઘ. માનદ મંત્રીશ્રી–અખિલ ભારત અચલગચ્છ વેતામ્બર જૈન સંઘ ટ્રસ્ટીશ્રી–અચલગચ્છ કલ્યાણ કેન્દ્ર. ટ્રસ્ટીશ્રી યશોધન વર્ધમાન બોતેર જિનાલય ટ્રસ્ટ, ટ્રસ્ટીશ્રી–આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ. શ્રી ડુંગરશી સુંદરજી ઠક્કર (પારકરીઆ) કચ્છના વતની શ્રી ડુંગરશી સુંદરજી ઠક્કરને જન્મ ઈ. સ. ૧૯૧૪ના ડિસેમ્બરની ૮મી તારીખે થયે. મુંબઈ યુનિવર્સિટીમાંથી B. Comની ઉપાધિ મેળવી હાલ ઝરિયાના ધનબાદ કેલફીલ્ડમાં પિતાને વ્યવસાય કરી રહ્યા છે. માત્ર ૨૨ વર્ષની યુવાન વયે આરંભેલ વ્યવસાય આજે અધી સદી બાદ વટવૃક્ષની જેમ ફૂલીફાલી રહ્યો છે, જે તેમની કુશાગ્ર બુદ્ધિ અને કુનેહનું ફળ છે. સ્વભાવે સહૃદયી અને ઉદાર દિલના શ્રી ડુંગરશીભાઈ આજે ૬૭ વર્ષની જૈફ ઉમરે પણ અનેક સંસ્થાઓના પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કાર્યરત રહી સંસ્થાઓના સંચાલનમાં પિતાને અમૂલ્ય ફાળે આપી રહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy