________________
૧૯૬ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા કે ટોકરશીભાઈની અંતર-ભાવનાઓમાં સર્વ રીતે સહાયરૂપ બની ભારતની આદશ નારી તરીકે જીવન ધન્ય અનાવવામાં પેાતાની ભાવનાઓ કેન્દ્રિત કરેલ.
બીજા વિશ્વયુદ્ધના કારણે ૧૯૪૨ ના જાન્યુઆરીમાં શ્રી ટાકરશીભાઈ ને બ્રહ્મદેશ છેડવુ પડ્યુ. કલકત્તા થોડા સમય રહી ભારતનાં અન્ય શહેરોની મુલાકાત લઈ, મુંબઇ આવતાં જૂના સબ ધા તાજા થયા અને હૈદ્રાબાદ આવવા પ્રેરણા મળી. હૈદ્રાબાદ જેનુ જૂનું નામ ભાગ્યનગર હતુ. એક પછી એક તક સાંપડતી જ ગઈ. કારાબારમાં ભાગીદારીથી વ્યવસાય શરૂ કરી પેાતાની આંતરપ્રેરણાથી ધીમે ધીમે વ્યાપાર તેમ જ ઉદ્યોગોમાં પણ પ્રવેશી વિકાસ થતા ગયા.
બહુમુખી સેવાઓની ટૂંકી યાદીમાં સર્વોદય, ચક્ષુદાન પ્રવૃત્તિ, પ્રાકૃતિક ચિકિત્સાલય, મહાવીર હાસ્પિટલ, જૈન ધર્મ વિકાસ શિક્ષા, નારી સુધારસેવા; અનાથાલય; ખાદી ગ્રામેાદ્યોગ, કૃષિ સુધાર, રોટરી કલબ; ગાંધી જ્ઞાનમ ંદિર, વગેરે. રાજદ્વારી ક્ષેત્રે પણ જરૂર પડયે સેલ્સટેકસ બાબત હાય કે કોંગ્રેસનાં અધિવેશન હોય; ગુજરાતી, હિન્દી, તેલુગુ ભાષાઓનુ સેવાકાય હાય; જળપ્રકાષ કે દુષ્કાળરાહતનાં કાર્યો હાય; કેવળ હૈદરાબાદમાં જ નહિ, દેશના કોઈપણ ભાગમાં ગુજરાત રાજ્ય હાય કે બિહાર રાજ્ય હેાય; સ્થળ-સમયના કોઈ બાધ એમને આવતા નથી. હૈદરાબાદના શ્રી ગુજરાતી પ્રગતિ સમાજમાં વર્ષોથી એમણે મેનેજિંગ ટ્રસ્ટી, માનદ મંત્રી, પ્રમુખ આદિ પદ્મ પર સેવા બજાવી છે. આ સંસ્થાને એમણે પોતાના કાપડીઆ ગ્રુપના ટ્રસ્ટમાંથી રૂપિયા એક લાખ પચાત્તેર હજારની સખાવત આપી કાપડીઆ ટ્રસ્ટ પ્રગતિ મહાવિદ્યાલયને તથા કાપડીઆ ટ્રસ્ટ અતિથિગૃહને મૂર્ત સ્વરૂપ આપ્યુ છે. આ ઉપરાંત નવજીવન મહિલા વિદ્યાલયને કોલેજની સ્થાપના માટે ટ્રસ્ટ તરફથી રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન આપી અમૃત કાપડીઆ ’ નવજીવન વીમેન પાટ-ગ્રેજ્યુએટ સાયન્સ કોલેજ સાકાર બનાવી છે. આ સિવાય હૈદ્રાબાદ ચિડ્રન એઈડ સેાસાયટી અને ફસાઈ પડેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org