SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ | [ ૧૭૫ વખતે વર કાઉન્સીલ (પ્રેમમાં)ના તેઓ મેમ્બર હતા. બારમીઓને ખૂબ જ પ્રેમ સંપાદન કરેલ. UR શ્રી કરશભાઈ લાલજી કાપડીયા પત્રી, ગુજરાતના કચ્છ વિભાગનું એક નાનું ગામ. તા. ૧૯ જાન્યુઆરી સને ૧૯૧૬ ના શુભ દિવસે આ સ્થાને શ્રી ટોકરશીભાઈને જન્મ. ધર્મપ્રેમી અને સેવાભાવી પિતાશ્રી લાલજીભાઈ અને એવાં જ આદર્શ ગૃહિણી માતા વજેબાઈ લાલજીભાઈને મૃત્યુ સમયે ટોકરશીભાઈની ઉંમર કેવળ ૧૦-૧૧ વર્ષની હતી. ઉંમર ભલે નાની હતી પરંતુ પિતાના ગાંધીવાદી વિચારે, સેવા-સંસ્કાર એમનામાં પાકી જડ જમાવી ગયા. બાળપણથી જ સેવાભાવ એમના અંતરમાં જાણે દિવ્યપ્રકાશ રૂપે પથરાયે હતો. નાની વયથી જ તેમના પ્રત્યે પ્રેમ જોવામાં આવતો. પિતાના ગામમાં પુસ્તકાલય, રાત્રિ પાઠશાળા વગેરે કાર્યોમાં તન-મનથી જોડાઈ જતા. નાનકડા પુસ્તકાલયમાં દાનમાં મળતી જૂની ફાટેલી ચોપડીઓ પણ તેઓ પિતે જ સાથીઓના સહકારથી બાઇન્ડિંગ કરતા જે કામ તેમને શિખવાડનાર પૂ. શ્રી ગુલાબચંદજી મુનિને તેઓ આજે પણ નથી ભૂલી શક્યા. પોતાના મિત્ર મગનલાલ કક્કર સાથે હરિજનને ભણાવવા -નવડાવવાનું વગેરે કાર્યોમાં મશગૂલ થઈ જતા. આમ નાની વયમાંથી જ સેવામય જીવન જીવવાની ભાવના જાગેલ. બર્મામાં રહીને પિતાની હરિજન શાળા માટે ફંડ એકઠું કરેલ. ગાંધીજીના સાત્ત્વિક જીવનની અસરથી એટલા બધા પ્રભાવિત થયા કે ખાદીના વપરાશને કાયમી સ્થાન મળ્યું. મુંબઈ એકાદ વર્ષ રહી જાત-મહેનતથી, ખંતથી જ્યાં કામ મળ્યું એ શેઠિયાઓના પ્રેમ–સદ્ભાવ-સંપાદનથી બ્રહ્મદેશ જવાની તક મળી. સમયના પ્રચલિત રિવાજેથી ૧૪ વર્ષે લગ્નગ્રંથિથી જોડાયા. ધર્મપત્ની શ્રીમતી અમૃતબાઈની વય આ પ્રસંગે ૧૪ વર્ષની હતી. અમૃતબાઈ પણ એટલાં જ સંરકારી કુટુમ્બનાં હતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy