________________
૧૭૪ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યો
પાર પાડ્યા છે. શ્રી પાલીતાણામાં શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના મંત્રી તથા ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યા છે અને આ બધા કાર્યો પાછળ તેમનાં ધર્મપત્ની પ્રભાબહેનને સંપૂર્ણ સાથ છે. શ્રી સાવરકુંડલા જૈન વિદ્યાર્થીગૃહ, જેની સ્થાપના ૨૦૦૨ માં કરવામાં આવી, તેની શરૂઆતથી તે આજ સુધી મંત્રી તરીકે અને અત્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ધંધાથે મોમ્બાસા જતાં સંસ્થાના ફંડમાં ત્યાંથી સારી રકમ એકઠી કરવામાં નિમિત્તરૂપ બન્યા. શ્રી વિકાસ વિદ્યાલય, વઢવાણ તથા શ્રી મનસુખભાઈ દોશી લેક વિદ્યાલય, સુરેન્દ્રનગર માટે બહારથી સારી એવી મદદ મેળવી. આથી શ્રી વિકાસ વિદ્યાલયને પગભર થવા મહેતા ચેરીટી ટ્રસ્ટની જે ખૂબ જ ઉપયોગી સહાય મળી તેમાં તેઓ નિમિત્તરૂપ બન્યા. શાહ સાગર દાનવીર શેઠ શાહ મેઘજી પેથરાજ તરફથી દાનનો પ્રવાહ સુરેન્દ્રનગરમાં વિપુલ પ્રમાણમાં વહેવરાવવામાં સૌ પ્રથમ સુરેન્દ્રનગરનો પરિચય કરાવવામાં નિમિત્ત બન્યા. વતન વંડામાં ઊજમબાઈ સોમચંદ મહેતા પ્રાથમિક શાળા બંધાવી આપી, જ્યાં અત્યારે ૮૦૦ બાળકે શિક્ષણ લઈ રહ્યાં છે. શ્રી સિદ્ધક્ષેત્ર જેન બાલાશ્રમમાં મંત્રી તરીકે સંવત ૨૦૧પમાં જોડાયા. શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ટ્રસ્ટી તરીકે ૧૦ વર્ષથી છે. શ્રી સિદ્ધક્ષેત્ર એજ્યુકેશન સોસાયટી (ચત્રભુજ મંતીલાલ વિદ્યાલય પાલીતાણું)માં ટ્રસ્ટી તથા મંત્રી તરીકે સેવા આપે છે.
બર્મામાં શ્રી મનસુખલાલ રાઘવજી દોશી સુરેન્દ્રનગરવાળાને મિત્ર સંબંધ બંધાયે. મનસુખભાઈ એક ખૂબ જ સંનિષ્ઠ ભાવનાશાળી સમાજસેવક હતા. તેને પ્રભાવ તેમના જીવનમાં પહેલે છે.
બર્મામાં નાસભાગ વખતે સેંકડો હિન્દીઓને વિદેશ પાછા ફરવા માટે સગવડતા પ્રેમમાંથી કરી આપી અને હજાર માણસને પ્રેમમાં તે વખતે ખાવાપીવાની સગવડતા કરી આપેલી. તે વખતે પ્રેમ ડિસ્ટ્રિકટમાં જવાહરલાલ નહેરુ પધાર્યા ત્યારે ત્યાંના હિન્દી વતી તેમની સાથે પ્રેમથી માંડલા જવા ચૂંટાએલા હતા. લડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org