________________
૧૬૪ ]
{ આપણા શ્રેષ્ઠીવર્યા
હુમેશાં પ્રશંસાપાત્ર રહ્યાં છે. ૧૯૬૫થી એ બિપીનચંદ્ર એન્ડ કુાં. ના નામથી ભાગીદારીમાં ધંધા ચાલે છે. દાડા હાઈસ્કૂલમાં, દાઠા જૈન ભોજનશાળામાં, દાડા જૈન મિત્ર મડળમાં; પાલીતાણા યોાવિજય ગુરુકુળમાં તેમનું પ્રદાન પ્રશ’સનીય છે.
વ. શ્રી જયંતિલાલ મૂળજીભાઈ તલાજિયા
ભાવનગરના ધનિષ્ટ, સ`સ્કારપ્રેમી પરિવારના એક ઉદારચિરત દાનવીર સજ્જન શ્રી જયંતિભાઈ તલાજિયાના ઊજળા સંસ્કારવારસાને અને તેના કુટુંબજીવનની ઉચ્ચ પ્રણાલિકાએને મને મન વંદન કર્યા વગર રહી શકાતુ` નથી.
વર્ષો પહેલાં વ્યવસાય અર્થે તેઓએ મુબઈ વસવાટ કર્યાં. ધંધામાં પુરુષાર્થ અને પ્રમાણિકતાથી આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી બે પૈસા કમાયા, જે દૈવી 'ત્તિ દાનધર્મને ક્ષેત્રે વાપરવામાં તે હમેશાં માખરે રહ્યા.
નવ વર્ષ પહેલાં જ તા. ૯-૬-૮૧ના રોજ શ્રી જયંતીભાઈનુ અવસાન થયું. તેમના સ્મરણાર્થે મંદબુદ્ધિનાં ખળકા માટેની શાળા ભાવનગરમાં ખેલવા તેમના પરિવારના સભ્ય વિચાર કરી રહ્યા છે.
શ્રી જયંતિભાઈના સુપુત્ર શ્રી દીપકભાઈ પણ એ જ દાનશીલતાની પગદડી ઉપર ચાલી રહ્યા છે. ગરીબે તરફની તેમની કરુણા અને દયા દાદ માંગી લ્યે તેવાં છે. વિધવા બહેનોને અનાજકપડાં કે અન્ય સહાય આપવામાં તેમની અમીરાતનાં હુમેશાં દર્શન થતાં રહ્યાં છે. શિક્ષણક્ષેત્રે પણ એટલી જ મમતા ગરીબ વિદ્યાથી એને પાઠયપુસ્તકો અને અન્ય જરૂરિયાત પહોંચાડવામાં કયારે ય પાછી પાની કરી નથી.
ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠશ્રી વિઠ્ઠલદાસ છગનલાલલેાઢાવાળા હાસ્પિટલમાં આરોગ્યસેવાનુ એક અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંખા સમયથી તાતી જરૂરીયાત હતી, આંખ-કાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org