________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૬૩ નામે શ્રીમતી જીજીબેન ભીમજી કુરજી વિઠ્ઠલાણી ફેરવર્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ચાલે છે. પોતાના સ્વ. પુત્ર શ્રી દિનકરરાયની સ્મૃતિમાં વીરપુર જલાબાપાની જગ્યામાં કામનાથ મહાદેવના મંદિરમાં અને અન્ય ધાર્મિક જગ્યાઓમાં તેમણે દાન આપ્યું છે. અમરેલીમાં એક પણ સંસ્થા એવી નહિ હોય કે જેમાં તેમનું દાન અને હિસ્સો ન હોય. રેડ કેસ સોસાયટીમાં સભ્ય તરીકે ચાલુ છે.
શ્રી જયંતિલાલ માનચંદ ગાંધી વ્યાપાર-વાણિજ્યના વિકાસક્ષેત્રે જેમની સમગ્ર પ્રવૃત્તિ હમેશાં સતત સિદ્ધિલક્ષી રહી છે એવા પુરુષાથી યુવાન શ્રેષ્ઠી શ્રી યંતિલાલભાઈ ગાંધી મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના તળાજાદાઠા પાસે વાલર ગામના વતની. પાલીતાણા જૈન ગુરુકુળમાં અભ્યાસ કર્યો. ઘણાં વર્ષોથી મહાનગરી મુંબઈને કર્મભૂમિ બનાવી લેખંડના વ્યવસાયમાં ધીમે ધીમે પ્રગતિ સાધતા રહ્યા. તેમના ભેળા અને નિખાલસ સ્વભાવને કારણે સૌના પ્રીતિપાત્ર બની શક્યા છે. તેમની સેવાભાવના, ઉચ્ચ કાર્યપ્રણાલી અને નીતિમત્તાને કારણે વ્યાપારી આલમમાં પણ સારું એવું માનપાન પામ્યા છે. તેમની ઊંડી સૂઝસમજને કારણે યુવાન વયે જ આગળ આવ્યા છે.
ધાર્મિક સંસ્કાર અને સંકલ્પ-સાધનાના સમન્વય વડે શ્રી જયંતિભાઈ ગાંધી જ્ઞાતિની અને ઘણી સંસ્થાઓમાં સહગ આપતા રહ્યા હોવાને કારણે સૌ કોઈને આદર અને સન્માનના અધિકારી બન્યા છે.
પુરુષાર્થ અને સ્વબળે વ્યાપારિક સંબંધો વિકસાવ્યા. સહસિકતા એ એમની આગવી શક્તિ છે. ઓછું બેલે છતાં એમની દષ્ટિ વિશાળ રહી છે. મળતાવડા અને મિલનસાર સ્વભાવને શ્રી ગાધીએ સેવાની ભાવના અને કેઈક સારાં કામમાં કાંઈક યથાશક્તિ કરી છૂટવાની હંમેશાં ઈચ્છા બતાવી છે. તેમની પરગજુ મને વૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org