________________
અભિવાનગ્રંથ ]
[ ૧૬૫
ગળાના અને દાંતના રોગેાની સારવાર માટેની ઈ. એન. ટી. વાડની સુંદર વ્યવસ્થા ઊભી કરવાનું એક સ્વપ્ન અને વાયેશ હતી, તેને સાકાર કરવામાં શેઠશ્રી જયતિભાઈ ભાવસારે પોતાના યુવાન સ્વસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિર'જીવી સ્મૃતિરૂપે ઉદાર મને રૂપિયા પંચાતેર હજાર જેવી માતબર રકમનું દાન અણુ કર્યું. તેમના આ દાનના શ્રીગણેશ પછી તેને પગલે પગલે રૂપિયા સાડાચાર લાખ જેવી જગી રકમ એકઠી કરાવી આપીને આ ભાવસાર પિરવારે ખરેખર ગરીબ આમ-સમાજના અંતરના આશીર્વાદ મેળવ્યા છે અને માનવતાનું ભારે મારુ પુણ્યવતું કામ પાર પાડ્યુ છે. ગુજરાત રાજ્યમાં વાતાનુકૂલ હેાસ્પિટલ સૌ પ્રથમ છે. એટલુ જ નહી, યાગાનુયાગ કુશળ ડોકટરોની સેવા પ્રાપ્ત કરવામાં પણ સચાલકા સદ્ભાગી બન્યા છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિનાં મંડાણ ( ઉદ્ઘાટન ) સ્વગસ્થ શ્રી નીતિનકુમારનાં માતુશ્રી ચદ્રાબહેનના હાથે થયું તે પણ એક નોંધનીય ખીના છે. વરતેજ-ભાવનગરમાં નાનીમેટી સસ્થાઓમાં નાનાંમેટાં લગભગ તમામ આયેાજનામાં શકય દાન આપ્યું છે, જે આ પરિવારની વિશિષ્ટતા છે.
આ પિરવારના એક અગ્રણી શ્રી દેવચંદભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના હતા. સારાં-શુભ કાર્યોમાં તેમણે હુંમેશાં સ'મતિ અને પ્રેરણા આપ્યા કરી હતી. કુટુમ્બની ઊજળી ગૌરવગાથાને જનસમાજમાં ખ્યાતનામ કરતા ગયા. સાધર્મિક ભક્તિ અને ગુપ્તદાનમાં હુંમેશાં માનનારા એલવીન સ્ટાર્સના સચાલકશ્રી દ્વીપકભાઈ ઘણી મોટી જવાબદારી વહન કરી રહ્યા છે. ઇચ્છીએ છીએ કે તેમના હાથે સમાજનાં વિવિધ અગાને પ્રાત્સાહક ખળ મળે, અનેક પ્રવૃત્તિએ વિકસે અને પાંગરે અને પરમાત્મા તેમને દીર્ઘાયુષ અપે તેવી શુભેચ્છા.
છે. રર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org