________________
અભિવાદનગ્રંથ |
[ ૧૫૯ સાંપ્રત પ્રવાહોને ઓળખીને અને અનુસરીને શ્રી સૂર્યકાન્તભાઈ શુભ સંકલ્પને પાર પાડવા માટે સતત પ્રયત્નશીલ અને ઉદ્યમશીલ રહ્યા છે અને ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓમાં ગણનાપાત્ર ફળ આપીને સારી નામને સંપાદન કરી છે. દાદાશ્રી જગજીવનભાઈની કેડાસૂઝ, અભ્યાસ અને અનુભવનું અમૃત પ્રાપ્ત કરીને શ્રી સૂર્યકાન્તભાઈએ તેમની વ્યાવસાયિક કારકિદીનું ઘડતર કર્યું. આજે દાણાપીઠમાં ચાલતી બી. સૂર્યકાન્ત એન્ડ કુ. તથા ભરતકુમાર એન્ડ કું. તથા અન્ય પેઢીના તેઓ સૂત્રધાર છે.
તેમના યશભાગી હાથે વિવિધ ક્ષેત્રે વધુ ને વધુ કાર્યો સફળ થતાં રહે એવી અભ્યર્થના કરીએ છીએ.
શ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ કલા, ધર્મ અને ધનને ત્રિવેણી સંગમ ધરાવનાર શ્રી જવાહરભાઈ મોતીલાલ શાહ નાસિક જિલ્લાના માલે ગામના મૂળ વતની છે.
શ્રી જવાહરભાઈ સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. એમણે ૧૨ વર્ષની કુમળી વયે જીવનની કારકિર્દીની શરૂઆત કરી અને ૨૨ વર્ષે જાહેર સેવાકાર્યની શરૂઆત કરી.
પ્રત્યેક અંકુરમાં વિકાસ થવાની અને વટવૃક્ષ બનવાની શક્યતા રહેલી છે એટલે તે વંદનીય છે; કારણ કે તે ક્યારે વટવૃક્ષ બની રહેશે તે પરમ નિયંતા જ જાણી શકે. આવા એક નાના અંકુરમાંથી વટવૃક્ષ સમા બની રહેલા શ્રી જવાહરભાઈને જન્મ અખિલ ભારતના જૈન સમાજના આગેવાન કાર્યકર શેઠશ્રી મોતીલાલ વીરચંદ શાહને ત્યાં માલેગાંવમાં થયે. અભ્યાસમાં તેજસ્વી હોવાથી બી. કોમ., એલએલ. બી. થયા અને સૂતરબજારના ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org