________________
૧૫૮ ]
| આપણા શ્રેષ્ઠીવ
માત્ર ચાર ગુજરાતીને જ અભ્યાસ પણ અજબની આયેાજનશક્તિ; અનેરી દ્વીષ્ટિ અને પ્રબળ પુરુષાર્થવૃત્તિના પ્રભાવને કારણે ચાના વેપારમાં સફળતા મેળવી. કલકત્તા, કાચીન વગેરે સ્થળે અવારનવાર જતા એ બધા અહેાળા અનુભવને લઈ ને તથા કામની આવડતને કારણે સારાયે સૌરાષ્ટ્રમાં જે. બી. તરીકે ચાના ખ્યાતનામ અને મશહૂર વ્યાપારી તરીકે બહુમાન પામ્યા. ભાવનગરના ખ્યાતનામ વ્યાપારી વેારા પરમાણુંદ તારાચંદની સૌજન્યશીલતા, પ્રામાણિકતા અને સુદર ભાવનાથી આકર્ષાઈ ને તેમના સારા વિચારો શ્રણ કરવા તેમના પરિચયમાં આવ્યા અને ઘેાડા અનુભવ પછી તેમની સાથે ભાગીદારીમાં જોડાયા અને તેની સુવ્યવસ્થા માટે શ્રી જગજીવનભાઈ એ અથાગ પરિશ્રમ ઉટાવ્યેા. ભાવનગરની શેઠ ડાસાભાઈ અભેચ’દ-પેઢી શ્રીસંઘના વર્ષો સુધી મત્રી તરીકે ફરજ બજાવી હતી તેમ જ પાંજરાપાળ સસ્થાના સચાલનમાં અને તેના ઉત્કર્ષમાં ઊંડે! રસ લીધે તેમ જ જૈન સમાજની અન્ય સંસ્થાઓમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલુ. સમ્મેતશિખર સહિત મેટાં જૈન તીર્થેાના પ્રવાસ કર્યો. સતાનમાં એક જ દીકરી. તેમની સાથે તેમના ભાણેજોએ વ્યાપારનું સચાલન અને બીજી સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સૂચના મુજબ કામ કર્યું.. ૯૦ વર્ષની ઉંમરે શ્રી જગજીવનભાઈ સ્વર્ગવાસી બન્યા. ભાવનગરના જૈન સમાજનું તે ખરેખર ગૌરવશાળી રત્ન હતા. જૈન પ્રચારક સભાના પ્રમુખ તરીકેની તેમની કામગીરી યશસ્વી હતી. અનેાષચંદ ગોવિંદજી ટ્રસ્ટમાં ટ્રસ્ટી હતા. ઘણા જ મર્મજ્ઞ પુરુષ હતા. તેમની સંસ્કારપ્રિયતા અને કા શીલતા ભાવિ પેઢીને માટે અનુમાદનીય અને આદરણીય રહ્યાં હતાં. પોતાની હૈયા-ઉકલત અને બુદ્ધિબળે જીવનના અનેક તાણાવાણામાંથી પસાર થઈ ભારે મેટી સિદ્ધિ હાંસલ કરી હતી.
સ્વ. શ્રી જગજીવનભાઈ એ ઊભી કરેલી દાન-ધર્મની અને શાસનસેવાની ઉજ્જવળ પગદડી અને એ મૂલ્યવાન વારસો તેમના ભાણેજોએ સાચવી રાખ્યા છે. તેમાંના એક શ્રી સૂર્યકાન્તભાઈ પણ પ્રતિભાસજ કનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે. આધુનિક જ્ઞાનવિજ્ઞાનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org