________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૫૭ છૂટા થયા અને ૨૦૦૧માં ચીમનલાલ જગજીવનને નામે દુકાન શરૂ કરી. ધંધામાં બે પૈસા કમાયા અને છૂટે હાથે દાનધર્મમાં એ સંપત્તિને ઉપયોગ શરૂ કર્યો. દાઠાની હોસ્પિટલમાં, તળાજાની વિદ્યાથી બે ડિગમાં, કદમ્બગિરિમાં, મેરુશિખરમાં અને પંચગીની પાસે બેલેસેમાં શ્રીશાળામાં સારું એવું દાન કર્યું છે. મીઠું અને રેલે ખાવા પણ કેઈની મદદ ન લેવી એવી આત્મશ્રદ્ધાએ પિતાના સ્વબળે જ ધનદોલત અને કીતિ પ્રાપ્ત કર્યા. પાલીતાણાની દરેક ધાર્મિક સંસ્થાઓમાં તેમનું દાન ગુંજતું રહ્યું છે. પુત્રોને સારી કેળવણી આપી છે. તેમની ધર્મપ્રિયતા ખાસ ધ્યાન ખેંચે એવી છે. મુંબઈમાં જ્ઞાતિનાં બાળકોના રંગોત્સવમાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશાં મેખરે રહે છે અને પારમાર્થિક જીવન જીવે છે. વિદ્યાનાં અને સંસ્કારનાં ધામને ધનની અંજલિ અપીને પ્રેત્સાહિત કર્યા છે, પ્રફુલ્લિત બનાવ્યાં છે. પૈસા તે ઘણુ પાસે હોય છે પણ વિના સંસ્કાર અને કેળવણી અથે તેને વિનિયોગ કરનારા કેટલા? કુદરતમાં જેમ વૃક્ષને ફળ સાંપડે છે ત્યારે નીચા નમે છે, તેમ શ્રીમંતાઈની સાથે જેનું અંતઃકરણ વિનમ્ર બને છે તેની જ શ્રીમંતાઈ શોભે. શ્રી જગજીવનભાઈએ જૂનાં મૂલ્યનાં સારાં તને સંપૂર્ણ માન આપ્યું છે.
શ્રી જગજીવન ભગવાનદાસ શાહ વ્યાપાર-ઉદ્યોગ હોય કે ધાર્મિક-સામાજિક સંસ્થાઓનું સંચાલન હોય, વિશાળ અને નિરાળી સૃષ્ટિને એક કમ રહ્યો છે કે સમયે સમયે વિચક્ષણ અને વિલક્ષણ વ્યક્તિએ આપણને સાંપડતી રહી છે અને સમાજ-જીવનની કાયાપલટનાં સ્વપ્નાંઓમાં સંગીન ફાળો આપે છે. નવા પ્રાણ પૂરવાને કર્તવ્યધર્મ બજાવે છે. - સ્વ. શ્રી જગજીવનભાઈએ આવા જ એક સફળ રાહબર તરીકે વ્યાપારી જગતમાં ગણનાપાત્ર ભાગ ભજવ્યું છે. જન્મ સુરેન્દ્રનગરના રામપર ગામે છે. જન્મથી તેજસ્વી વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org