SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] શ્રી જગજીવનદાસ વિઠ્ઠલદાસ ગોકલ મહેનતુ અને કર્મશીલ માનવીઓ સ્વબળથી જ પોતાની પ્રતિભા કંઈક જુદી જ રીતે ખીલવે છે. એવી પુરુષાથી પ્રતિભાઓને ધન અને કીતિ અને સામેથી જ આવે છે. એવા જ સ્વભાવના શ્રી જગજીવનદાસભાઈ દક્ષિણ આફ્રિકાને “બદિયાણી પરિવારના સભ્ય હતા. તેમને જન્મ લુઈસ્ટ્રીચાર્ડમાં સને ૧૯૧૨માં થયો હતો. જો કે તેમને સાહસિક સ્વભાવ અને પુરુષાર્થી વૃત્તિ એ તેમના વારસાગત સંસ્કાર હતા, એમ કહેવું યોગ્ય લાગશે; કેમકે તેમના પિતા પોરબંદરના ગોરાણા ગામના વતની હતા છતાં સાહસિક મનવૃત્તિને લઈ તેમણે દક્ષિણ આફ્રિકાના વ્યાપારની પગદંડી જમાવી હતી. ભણતરમાં નહિ પણ ગણતરમાં આગળ વધીને તેમણે નામના મેળવી હતી. સામાન્ય શિક્ષણ લઈ તથા વારસાગત સંસ્કારોને સાથે રાખી તેમણે વ્યાપારમાં ઝંપલાવ્યું. સૌ પ્રથમ તેમણે લુઈસ્ટ્રીચાર્ડટમાં વી. ગોકલ એન્ડ કું, નામે એક પેઢી સ્થાપી. પિતાની આવડત, હેંશિયારી, જાતમહેનતની ખુમારી અને હૈયાઉકલતની અજબ સૂઝબૂઝથી આખાયે દક્ષિણ આફ્રિકામાં પિતાની કંપનીને યશકલગી ચડાવી; ત્યાર પછી તો એ દેશના બીજા દેશે સાથેના વ્યાપારી સંબંધો વિકસાવવામાં તેમને ફાળે મહત્ત્વને બને. પરપ્રાન્તમાં આ રીતે વ્યાપારક્ષેત્રમાં અદ્ભુત પ્રગતિ સાધવા ઉપરાંત કર્મભૂમિને માતૃભૂમિ જેટલી જ પ્યારી ગણીને ત્યાનાં દીન-દુઃખિયારાં લેકેની સેવા કરી. ફક્ત વ્યાપારી દષ્ટિ જ નહીં પરંતુ માનવતાના ઉચ્ચ સંસ્કારને અગ્રસ્થાને રાખી અનેક સંસ્થાઓ અને જાહેર હિતનાં કાર્યો માટે પિતાની સંપત્તિને છૂટો દોર આપે. દરિયાવ દિલના આ માનવીએ મહાત્મા ગાંધીજીના ફિનિક્સ આશ્રમમાં સર્વોદય ભુવનમાં પણ સારે એ મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો હતે. આવાં કલ્યાણમય કાર્યો દ્વારા નાની ઉંમરમાં જ ત્યાંના સમાજમાં પિતાની સુગંધ તરફ ફેલાવીને તેઓ ૧૯૪૯માં પાછા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy