SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ૩ [ આપણા શ્રેષ્ઠીવર્યાં રંગ-રસાયણના ઔદ્યોગિક ક્ષેત્રે અસાધારણ પ્રગતિ હાંસલ કરવામાં તેએશ્રી મેધાવી બુદ્ધિપ્રતિભાના તપતેજથી જીવનનાં અસામાન્ય પગથિયાં ચડયા છે. અમની આળપપાળ વિનાના આ ઉદ્યોગમ જ્ઞની વિશિષ્ટતા એ છે કે એમના મુખ ઉપર સદાસદા પ્રસન્નતા જ ફરકતી રહી છે. ગુલાબી સ્વભાવ અને ઉષ્માભર્યો હૃદચવાળા શ્રી જગુભાઈની મધુર મુખમુદ્રા તેમના સપ'માં આવનાર સૌ કેઇ લાંબા સમય સુધી વીસરી શકે તેમ નથી. તેમના માયાળુ મિલનસાર સ્વભાવ અનેકેાનાં હૃદય જીતી લેવામાં કારણભૂત બનેલ છે. ભારતના રગ-રસાયણ ઉદ્યોગક્ષેત્રે અનન્ય સર્જનપ્રતિભા દાખવવા સાથે વિશેષતઃ તે સમગ્ર ઉદ્યોગક્ષેત્રમાં રગદશી તાના નવા યુગ નિર્માણ કરવાને પ્રશસ્ય પુરુષાર્થ સાધનાર શ્રી અમૃતલાલ કાળીદાસ દોશી પછી ૧૯૭૬થી એસસ અમર ડાઈકેમ લિ.ના અધ્યક્ષપદનુ સ્થાન શ્રી જગુભાઈ સંભાળી રહ્યા છે. ઉત્પાદનની ગુણવત્તા અને અભિજાત સંશાધનાત્મકતા સાથે જેનુ ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રભુત્વ પ્રગાઢ સ્વરૂપમાં પાંગર્યુ' છે, એ મેસર્સ અમર ડાયકેમ લિ.એ સંશાધન, ગુણવત્તા અને વિકાસાર્થે સ`સ્વ અર્પણ કરીને રાષ્ટ્રના રગ-રસાયણ ઉદ્યોગક્ષેત્રે આગવી પ્રતિભા પ્રસ્થાપી છે. પ્રકૃતિને નાથવા મથનાર પશ્ચિમનાં આક્રમણા સાથે સમાધાન સાધવા ઇચ્છતા પૂર્વના સારસ્વત સંશાધન-પ્રવાહેામાં સંવાદી રીતે તરવા માટે મેસર્સ અમરડાયકેમ લિ.માં શ્રી જગુભાઈ અને પ્રાણ પૂરી રહ્યા છે, એ અભિનંદનીય છે. જેમના સ્નેહાળ સાંનિધ્યથી અનેક સસ્થાએ અને કાર્યોમાં સંસ્કાર અને સદ્ભાવ માંગર્યા છે, એવા મહાનુભાવ શ્રી જગુભાઈ ને અને તેમની વિશિષ્ટ પ્રણાલિકાઓને આવકાર અને અભિનદન આપ્યા વગર રહી શકાતુ નથી. શ્રી જગુભાઈની ધાર્મિક પ્રવૃત્તિઓએ પણ તેમને જૈન સમાજમાં ઉચ્ચ આસને બેસાડયા છે. અનેક સંસ્થાઓના પ્રાણ સમા શ્રી જગુભાઈ જૈન સમાજનું ગૌરવ ગણાય છે. Jain Education International CA PD For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy