________________
કo |
[ આપણું શ્રેષ્ઠીવર્યો શાહ ટ્રેડર્સ, હરક્યુલિસ રેલિંગ શટર્સ, શાહ એન્જિનિયરિંગ વર્કસ, શાહ બ્રાઈટ બાર્સ એન્ડ સ્ટ્રકચરલ્સ પ્રા. લિ., સ્ટાન્ડર્ડ ટીલ સપ્લાયર્સ વગેરે તેમની આ પુરુષાર્થની પરમ સિદ્ધિઓ છે. ધંધામાં ગળાડૂબ રચ્યાપચ્યા હોવા છતાં જ્ઞાતિ-સેવા, સમાજસેવા અને વતનના કેઈપણ કામને માટે જ્યારે જ્યારે જરૂરત ઊભી થઈ છે ત્યારે ત્યારે તેમનું નામ મોખરે હોય જ. નાનામેટા ફંડફાળાઓમાં અને પ્રસંગોપાત્ત ઊભી થતી સાર્વજનિક જરૂરિયાતને મદદરૂપ બનતા રહ્યા છે.
ફળથી લદાયેલી વૃક્ષની ડાળીઓ જેમ નમીને નમ્રતાની સાબિતી આપે છે, તેમ સંસ્કારી માતા-પિતાનાં સંતાન સંસારમાં ધર્મસંસારની સુવાસ પ્રસરાવે છે.
પરોપકારી અને વિનમ્ર સ્વભાવના શ્રી છબીલભાઈની વ્યાપારી બુદ્ધિપ્રતિભા અને વ્યવહારકુશળતાને અહોભાવે વંદન કર્યા વગર રહી શકાતું નથી. દાન-ધર્મને ક્ષેત્રે તેમને હંમેશાં યશસ્વી ફળ
રહ્યો છે.
:
-
શ્રી છોટાલાલ મણિલાલ શેઠ માનવીની મહત્તા એની પાસે કેટલી સત્તા, સંપત્તિ કે આબાદી છે તેના ઉપરથી નહિ પણ તેમણે ધર્મક્ષેત્રે કાંઈ પ્રદાન કર્યું છે કે નહિ તેમણે સમાજસેવાને ક્ષેત્રે કે શાસન-સેવાને ક્ષેત્રે લક્ષ્મીને કે સદુપયોગ કર્યો છે, તેના ઉપરથી માનવીના જીવનસાફલ્યનું મૂલ્ય અંકાય છે. શ્રી છોટાલાલભાઈ અને તેમનું કુટુંબ જિનશાસને પ્રધેલા રંગે રંગાયેલા છે.
સાવરકુંડલાના વતની શ્રી છોટાલાલ મણિલાલ બેચરદાસ મુંબઈમાં કાપડ લાઈનમાં ખૂબ જ યશકીર્તિ પામેલા આગેવાન વેપારી છે. ધંધાના પ્રભાવજનક વિકાસની સાથે ધર્મક્ષેત્રે એમનું અને એમના પરિવારનું ઘણું મોટું પ્રદાન છે. સાવરકુંડલા દેરાસરના વહીવટને પણ એમનું સીધું માર્ગદર્શન છે. દોઢ વર્ષ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org