SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો કેટલાંક યોગ્ય દાન પણ આપેલ છે. તથા પાટડીની હોસ્પિટલમાં સારું એવું મોટું દાન કરેલ છે. ટી. બી. હોસ્પિટલ, સુરેન્દ્રનગરમાં મેટું દાન કરેલ છે. હમણાં હાયર સેકન્ડરી હાઈસ્કૂલમાં છ રૂમે ખેરવા (જત)માં બનાવેલ છે. તેનું ૧૯૮૮માં માનનીય અરવિંદ સંઘવી નાણા પ્રધાન-ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર, હરીસિંહ મહિડા, જિલ્લા પંચાયત પ્રમુખ વિ. હાજર રહ્યા હતા. સુરેન્દ્રનગરમાં ઉપધાનતપ તથા કૌટુમ્બિક ૧૫૦ માણસની પંચતીથી કરાવેલ ત્યારે સંઘ જમણવાર કરેલ. પૂ. શ્રી ચરણતીર્થ મહારાજશ્રી પૂ. આચાર્યશ્રી (પૂર્વાશ્રમ—રાજવૈદ્ય જીવરામ કાલિદાસ શાસ્ત્રી)એ ઈ. સ. ૧૯૧૦માં ફાર્મસીની સ્થાપના કરી. ત્યાબાદ આયુર્વેદની પ્રવૃત્તિને વિકસાવી. ઈ. સ. ૧૯૪રમાં ઓલ ઈન્ડિયા આયુર્વેદિક કેસનું ૩૧મું સમેલન લાહોરમાં ભરાયું હતું. તેના પ્રમુખપદે આચાર્યશ્રીની વરણી થઈ હતી. - ઈ. સ. ૧૯૧૫ની ર૭મી જાન્યુઆરીએ પૂ. ગાંધીજીએ ગોંડલમાં પૂ. આચાર્યશ્રીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પૂ. ગાંધીજીને પૂ. આચાર્યશ્રીએ “મહાત્મા”ની સૌ પ્રથમ પદવી આપી હતી. આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, તિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, ધર્મ, કાવ્ય, નાટક, અલંકાર, ઇતિહાસ, પુરાણ વગેરે વિવિધ વિષયે ઉપર સંશોધન સાથે પૂ. આચાર્યશ્રીએ લગભગ ૨૦૦ ગ્રંથો લખ્યા છે. ૭૪૫ કલેકવાળી સંધિત “ભાગવદ્ ગીતા” તથા “યક્ષફલમ નામનું તેમણે શોધી કાઢેલું ભાસનું નાટક સંસ્કૃત સાહિત્યને તેમનું અપૂર્વ પ્રદાન છે. - પૂ. આચાર્યશ્રીની અનન્ય વિદ્વત્તા અને સેવાને લક્ષમાં લઈને વિશ્વની અનેક સંસ્થાઓએ તેમને માનાર્હ પદવીઓ અર્પણ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy