________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૨૦ જૂને સમાજવાદી કાર્યકર શ્રી પ્રતાપભાઈ શાહ, શ્રી સનતભાઈ મહેતા, શ્રી નરભેશંકરભાઈ પાણેરી અને શ્રી અશોક મહેતા વગેરે સાથે ૧૯૫૧ થી ૧૯૫૬ના સમય દરમ્યાન જાહેર કામ કર્યું પણ ધર્મ અને આત્મા-પરમાત્માની વાતમાં એમને વિશેષ રસ હતો. તેથી ભારતનાં કેટલાંક યાત્રાધામે જેવાં કે ગયા, પુરી, પંડીચેરી, રામેશ્વર અને આનંદાશ્રમની અવારનવાર મુલાકાત લઈ જીવનને કૃતાર્થ કરતા રહ્યા.
પિડીચેરીના અરવિંદ આશ્રમને ઘર-આંગણે તેમણે ગુંજતું કર્યું. પૂજ્ય માતાજીની દિવ્ય વાણીને બહોળા પરિચિત સમાજમાં પહોંચાડવા સતત મથામણ કરતા રહ્યા. ભાવનગરમાં તેમનું ઘર એ અરવિંદ આશ્રમની શાખા જેવું આજ સુધી રહ્યું છે, એ સુખદ બીના ગણી શકાય.
આ વ્યાસ પરિવારમાં શ્રી નટુભાઈને ત્રણ સુપુત્ર શ્રી અનિલભાઈ, શ્રી અતુલભાઈ અને શ્રી પ્રદીપભાઈ એ બાંધવત્રિપુટીમાં સંપ-સંગઠનની ભાવના સવિશેષ જોવા મળી. એટલું જ નહિ પણ એકતાની એ પ્રબળ ભાવના કેઈપણ ભેગે જળવાઈ રહે તે માટે તેઓ દનિશ્ચયી છે. ત્રણે ભાઈઓ અદમ્ય ઉત્સાહ અને અખૂટ કાર્યશક્તિ ધરાવે છે. મનની ઉદારતા અને હૃદયની સરળતાને સમન્વય પણ તેમનાં વાણી અને વ્યવહારમાં જોવા મળે. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પરમ ચાહકો છે. તેથી જ ત્રણે ભાઈઓએ કુટુંબ-પરિવાર સાથે બધાં જ તીર્થોની શ્રેયયાત્રાઓ કરી છે. પિડીચેરી અને રામેશ્વર જેવાં પવિત્ર સ્થાનેની મુલાકાત જીવનમાં ચોટદાર અસર કરી જાય છે. આ પરિવારને પણ કંઈક એવી જ અનુભૂતિ થઈ.
ચિત્રીસ વર્ષની ઉંમરના શ્રી અનિલભાઈની અને તેમનાં ધર્મપત્ની ભારતીબેનની કલ્યાણમયી ભાવના બત્રીસ વર્ષના શ્રી અતુલભાઈ અને તેમનાં ધર્મપત્ની રંજનબેનમાં દીસતી ધાર્મિક સૌજન્યતા, ત્રીસ વર્ષના શ્રી પ્રદીપભાઈ અને તેમનાં ધર્મપત્ની છે. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org