________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૨૩ રીતે સેવાકાર્યમાં સહકુટુંબ ફાળો આપી રહ્યાં છે. તેમની દષ્ટિ સામાજિક ઉત્કર્ષ અને લોકોનું મેગક્ષેમ સાધવાની રહી છે. શ્રી ચંદુભાઈના હાથે સુરેન્દ્રનગર જિલ્લાને સેવાયજ્ઞ વધુ ને વધુ યશજવલ બનતે રહે એ જ અભિલાષા.
શ્રી ચંદુભાઈ સી. ઉદેશી ૧૯૪૧માં તેમનાં માતુશ્રી મુલીબાઈ ગોવિંદજીએ “મે સાઈકલ કુ.”ની સ્થાપના કરી હતી. આ કંપનીને શ્રી ચંદુભાઈએ કુશળતાથી અગ્રિમ સ્થાને લાવી દીધી. ધંધાના વિકાસ સાથે સાથે રાષ્ટ્રીય વિકાસને પણ એટલું જ મહત્ત્વ આપતા. શ્રી ચંદુભાઈએ શ્રી કે. જી. કાપડિયા વગેરેના સહાગથી “મે. એકસપિટર્સ પ્રા. લિ.” સ્થાપી. આ એક નિકાસલક્ષી સંકુલ છે. આ સંકુલનો હેતુ ખાસ કરીને સાઈક્લ અને તેના પાસ તેમ જ અન્ય ઇજનેરી માલસામાનના ઉત્કૃષ્ટ ઉત્પાદનનો જ છે અને નિકાસલક્ષી વસ્તુઓને જ ખાસ મહત્વ આપવામાં આવતું. વિદેશ સુધી ખ્યાતિ મેળવનાર અને નિકાસક્ષેત્રે સારી કામગીરી બજાવવા બદલ આ સંકુલને રાષ્ટ્રપતિ તરફથી એર્ડ મળ્યા હતા.
વારંવાર પરદેશને પ્રવાસ ખેડી આવેલ છે. “મેટ્ર-એકસપિસ” સાથે રાષ્ટ્રના નાના-મેટા અનેક ઉદ્યોગ સંકળાયેલા છે. શ્રી ચંદુભાઈએ શ્રી. જે. સંપટ અને શ્રી વી. ખેતાનના સહકારમાં અમરનાથ ખાતે હેમિલ્ટન ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. તેમ જ શ્રી એ. પદ્મનાભનના સહકારમાં ત્રિવેન્દ્રમ ખાતે મે. વિનસ એન્જિનિયરિંગ વર્કસ એન્ડ ફાઉન્ડી પ્રા. લિ. નામનાં બે ઉત્પાદન સંકુલની સ્થાપના કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org