________________
૧૨૨ ]
[ આપણા શ્રેષ્ઠીવર્યા
શ્રી ચંદુલાલ સુખલાલ મહેતા
સુરેન્દ્રનગરના જાહેર જીવનમાં છેલ્લાં પાંત્રીસ વર્ષથી સેવા આપી રહેલા શ્રી ચંદુલાલભાઈ મહેતા પાનાચ'દ ઠાકરશીના પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા છે. લક્ષ્મી અને પ્રતિષ્ઠા તેમને આલ્યકાળથી જ ઉપલબ્ધ હેવા છતાં માતા-પિતાના સ`સ્કારે જીવનમાં સાદાઈ, સરળતા, વ્યસનમુક્તિ અને સમાજસેવાની ઉચ્ચતમ ભાવના પ્રેરી છે. મહાત્માજીની રાહબરી નીચે દેશમાં ચાલતી સ્વાતંત્ર્ય-લડતમાં અને રાજકોટના સત્યાગ્રહમાં નાની વયે ભાગ લીધા અને હિરપુરા કોંગ્રેસમાં પણ સ્વયંસેવક તરીકે જોડાયા હતા. ત્યાર પછી સામાજિક અને લેાકસેવાનાં કાર્યોને જીવનના આદર્શ બનાવ્યેા. છેલ્લાં પાંત્રીસ વર્ષ દરમ્યાન તેમણે શહેરમાં અનેક સેવા-સસ્થાએ સ્થાપવામાં અને વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપ્યા છે.
શ્રી સુરેન્દ્રનગર તબીબી રાહત મ`ડળ સંચાલિત સી. જે. હાસ્પિટલ; શહેરમાં અનેકવિધ શૈક્ષણિક સુવિધા પૂરી પાડતી સુરેન્દ્રનગર એજયુકેશન સાસાયટી, સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર સૉંચાલિત શ્રી સી. યુ. શાહ ટી. ખી. હાસ્પિટલ, સુરેન્દ્રનગર પીપલ્સ કોએપરેટીવ એક અને જૈન બહેનો માટે છાત્રાલય જેવી અનેક સંસ્થાઓના વિકાસ, સ્થાપના કે સંચાલનમાં પેાતાના અત્યંત મહત્ત્વના ફાળા રહ્યો છે, એ હકીકત છે. ગામડાનાં બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણના આદર્શને વરેલી શ્રી મનસુખલાલ દેશી લેાકવિદ્યાલય જેવી સંસ્થાની સ્થાપના, સ`ચાલન અને વિકાસમાં અથાગ શ્રમ લીધેા છે. દુષ્કાળ અને રેલ જેવાં સંકટોની વખતે જિલ્લાની ગ્રામપ્રજાને રાહતરૂપ થતી જિલ્લા સ ́કટ નિવારણ સમિતિના તેઓ મંત્રી છે અને જિલ્લામાં પડેલ દુષ્કાળ વખતે યશસ્વી સેવા આપી છે. શ્રી ચંદુલાલભાઈનું શિક્ષણ ફક્ત મેટ્રિક સુધીનું છે પણ હૈયાસૂસ ગજબની છે.
Jain Education International
આ બધાં કાર્યોમાં તેમનાં સુશીલ પત્ની પ્રભાવતીબહેન અને તેમના પિરવાર સહયોગ આપી કાર્યને સફળ બનાવે છે,અને એ
For Private & Personal Use Only
www.jainelibrary.org