________________
૧૧૬ ]
[ આપણું શ્રેષ્ઠીવર્યો બહેનનું ૯ વર્ષ પહેલાં ૧૯૮૧ માં દુઃખદ અવસાન થયું. શ્રી ગુલાબચંદભાઈ ભારતનાં બધાં જ તીર્થોની યાત્રા કરી આવ્યા–ભેયણથી પાછા ફરતાં રસ્તામાં જ જીવનયાત્રા સમાપ્ત થતાં તેમનું જીવન અને મૃત્યુ ધન્ય બની ગયાં.
શ્રી ગુલાબચંદભાઈએ સાદાઈ અને નમ્રભાવથી પિતાના સ્વભાવમાં રહેલા પોપકાર અને સમાજસેવાના મહાન ગુણોને પ્રકાશ પ્રસરાવે છે. તેમના સુપુત્રો શ્રી કાંતિભાઈ શ્રી કિશોરભાઈ શ્રી ચંદુભાઈ શ્રી કનકભાઈ વગેરેએ પિતાશ્રીના વારસાને બરાબર જાળવી રાખે છે અને ધાર્મિક આયોજનમાં નમ્ર ફાળો આપતા રહ્યા છે.
શ્રી સી. એન. સંઘવી અમિલ આંખડીમાં સ્નેહને સૂર આજેલા શ્રી સી. એન. સંઘવીની બહુમૂલ્ય, પરિણામલક્ષી અને નિઃસ્વાર્થ સેવાઓનું હૃદય પૂર્વક બહુમાન કરતાં ધન્યતા, ગૌરવ અને કૃતજ્ઞતાની લાગણી અનુભવાય છે.
મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં વિવિધ અધિકારીપદે રહીને તેમણે કર્તવ્યનિષ્ઠ અને નેંધપાત્ર સેવા કરી છે અને કરતા રહ્યા છે. - જૈન સોશ્યલ ગૃપ જે જૈન સંસ્કારપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સ્નેહથી સૌને પિતાના કરી લેવાની આત્મસૂઝને ફાળે ઘણું મટે છે. - વિદેશમાં જૈન સેશ્યલ ગ્રસની સ્થાપનામાં પણ તેઓ અગ્રેસર રહ્યા. ફેડરેશને તેમની ઈન્ટરનેશનલ એસ્ટેશન કમિટિના ચેરમેન તરીકે નિમણુક કરી અને આ પદને તેમણે અમેરિકામાં બે ગ્રો સ્થાપી ભાવ્યું અને અમેરિકા-આફ્રિકામાં વધુ ગ્રુપ સ્થાપવામાં પ્રયત્નશીલ છે. શિકાગો અને લેસ એન્જલિસના ગ્રુપના ઉદ્ઘાટન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org