________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૧પ માસિક રૂ. વીસના ભાડાથી એક નાનકડી દુકાન રાખી અને “ટ્રકુલ સ્ટોર્સનો આરંભ કર્યો. આ સ્ટોર્સમાં એક સીવણ મશીન વસાવી સિલાઈની દુનિયામાં પ્રવેશ કર્યો અને “થકુલ’ના નામે રેડીમેડ વસ્ત્ર ઉદ્યોગના આજે વિખ્યાત બનેલા કારખાનાના પાયા નંખાયા હતા.
દક્ષિણની સરહદ ઓળગી દ્રથકુલનાં વા ભારતભરમાં પ્રસરી ગયાં. મુંબઈમાં પણ કારખાનાનાં ચકે વહેતાં કર્યા.
આ સ્વપ્નસિદ્ધિ પછી શ્રી ગગુભાઈએ સામાજિક સેવાને યજ્ઞ પણ આરંભ્યો. “ગુજરાતી સમાજ”, ગુજરાતી શિક્ષણસંસ્થા, ગુજરાતી દવાખાનાની સંસ્થાઓ અને ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ હતા. સરકારે તેમની સેવાની કદરમાં “ઓનરરી મેજિસ્ટ્રેટ' તરીકે પણ નિયુક્ત કર્યા હતા.
શ્રી ગુલાબચંદ લાલચંદ દોશી પિતાના સરળ સમૃદ્ધ વ્યક્તિત્વ અને બહુવિધલક્ષી પ્રતિભા દ્વારા અને સૌ કઈ પ્રત્યેની આત્મીયતા તથા સહાયરૂપ બનવાની ભાવના ઈત્યાદિ જેમની મૂલ્યવાન ગુણસંપત્તિએ જૈનાચાર્યો અને સમાજના વિશાળ જનસમૂહ ઉપર ઉમદા છાપ પાડી શક્યા હતા, તેવા પરગજુ-ઉદારચરિત શ્રેષ્ઠીવર્ય શ્રી ગુલાબચંદભાઈ ગુજરાતના જામનગરના વતની હતા. તેમના પરિવારને મુંબઈમાં સ્થિર થયાને પિણે દાયકે વીતી ગયે.
જૈન તીર્થસ્થાનોને વહીવટ અને વિકાસ એકતા સંગઠનની ભાવનાથી કેળવાય એ દિશામાં તેઓ વર્ષો સુધી સક્રિય સેવા આપતા હતા. કટાસણ જૈન દેરાસરમાં તેમના પરિવારનો યશસ્વી કાળે
ધા છે. - તેમના ચાર સુપુત્ર વ્યાપારધંધાના જુદા-જુદા ક્ષેત્રે સુંદર વારસે સંભાળી રહ્યા છે. શ્રી ગુલાબચંદભાઈનાં ધર્મપત્ની શ્રી જયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org