________________
અભિવાદનગ્રંથ ]
[ ૧૧૧ કેળવણી મંડળની સ્થાપના કરી અને પાનાચંદ ઠાકરશી બોર્ડિંગના ટ્રસ્ટી તરીકે તેમની નિમણુક કરવામાં આવી. - દેવદર્શન અને ગુપ્તદાન એ તેમના જીવનનો નિત્યનિયમ હતે. તેમને પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી, પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી, પૂ. શ્રી યશોવિજયજી વગેરે સાધુપુરુષના આશીર્વાદ મળ્યા.
તેઓશ્રી ૪૫-૪૬ વર્ષની ઉંમરે અરિહંત પ્રભુનું સ્મરણ કરતાં– કરતાં વૈશાખ વદિ ૭, ૨૦૨૫માં સ્વર્ગે સિધાવ્યા.
શ્રી ખાંતિલાલ છોટાલાલ કેરડીયા અનેક જૈન સંઘ ઉપર જેમના અનંત ઉપકારે છે એવા પ. પૂ. પપકારી આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના અનન્ય ભક્ત, ધર્મપ્રેમી, ગુણાનુરાગી, શ્રીયુત ખાંતિલાલભાઈ મૂળ અમરેલીના પણ વ્યવસાય અર્થે વર્ષો પહેલાં મુંબઈમાં તેમનું આગમન થયું. વિનમ્રતા અને ઉદારતાના ઉચ્ચતમ સંસ્કારો તેમને વારસામાં મળેલા છે. ચતુર્વિધ સંઘની સંઘભક્તિના કેડ નાનપણથી પાંગર્યા હતા. મુનિ ભગવંતની વૈયાવચ્ચ અને સાધર્મિક ભક્તિના
જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થયા છે ત્યારે ત્યારે તેમનું આંતરમન સેળે કળાએ ખીલી ઊઠયું છે. તેમાંયે સ્વ. આ. દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સાહેબ પ્રત્યેને ગુરુભાવ આદરણીય, અવર્ણનીય અને સુંદર કહી શકાય. છેલ્લી ક્ષણ સુધી ગુરુદેવ પાસે જ તેમની હાજરી અને અંતિમ યાત્રામાં પણ પ્રથમ પૂજાને આદેશ લીધેલ તથા જે દિવસે આચાર્ય ભગવંતની સ્વર્ગારેહણ તિથિ છે, તે આ શુદિ ૮ની કાયમી આંગી, સ્નાત્રપૂજા, પ્રભાવના આયંબિલ વગેરે હોય જ.
પુણ્યમાગે વપરાયેલી લક્ષ્મી પણ પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મીને વધારે જ છે, ઘટવા દેતી નથી. આ એક ધર્મને જ પ્રભાવ છે. કેરડીયા પરિવારના દિલની અમીરાતે શાસનના ઇતિહાસમાં અને ખું પ્રકરણ કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org