SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ] [ આપણા શ્રેષ્ઠીવર્યો છે. ઉપરાંત ત્યાં કોલેજ ઊભી કરવામાં લગભગ પિણે લાખની દેણગી કરી છે. વલસાડ દશાશ્રીમાળી જ્ઞાતિને પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે. દિલ્હીના ગુજરાતી ભવનમાં તેમનું સારું એવું દાન છે. વલસાડ અને વિરારની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તળાજામાં જ્ઞાતિ માટે પિતાશ્રીના નામે ચાર દુકાને અર્પણ કરી છે. પાલીતાણુ કેળવણું મંડળ અને ડુંગરની જ્ઞાતિ-પ્રવૃત્તિમાં સારું એવું દાન આપ્યું છે. અમુક રકમથી વધારે થાય તે વાપર્યા કરવી એ એમણે પરિગ્રહ સેવ્યો છે. ધન્ય જીવન! રૂ. ૨૫૦૦૦ વલસાડની મ્યુનિ. હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટ માટે આપ્યા. આ ઉપરાંત નીચે મુજબ દાન આપ્યાં છે. ૫૧૦૦૦ તળાજા કન્યાશાળા, તળાજા જ્ઞાતિની વાડીમાં, તળાજા ટાઉનહોલ, વલસાડ નજીક અતુલમાં, પ્રજ્ઞા હાઈસ્કૂલમાં અને પારડીમાં વલ્લભ આશ્રમમાં બાળકે માટેની અદ્યતન હોટેલમાં રૂ. એક લાખ આપવાનું તેમના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું છે. સંવત ૨૦૩૬ના આસો વદ ૧૪ના એમને સ્વર્ગવાસ થયો. શ્રી ખૂબચંદ રતનચંદ જોરાજી વર્તમાન જૈન શાસનના ઈતિહાસમાં મંગલધર્મને ક્ષેત્રે જેમના પરિવારનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે, જે કમગીન જીવનમાં જેમણે ઉચ્ચ વિશુદ્ધ ચારિત્ર્યથી વિશેષ મહત્ત્વની કઈ બાબત ગણતરીમાં લીધી નથી એવા પરમ આદરણીય જૈન શ્રેષ્ઠીવર્યશ્રી ખૂબચંદભાઈ જૈનસમાજનું ગૌરવશાળી રત્ન ગણાય છે. રાજસ્થાન એમનું વતન પણ નાની કુમળી વયે મુંબઈમાં તેમનું આગમન થયું. સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી સુધીને અભ્યાસ પણ જીવનમાં કાંઈક કરી છૂટવાનો મનસૂબે નાનપણથી સેવેલો. પિતાશ્રીએ શરૂ કરેલી ત્રાંબા-પિત્તળની દુકાન પિતાની હૈયાસૂઝ અને દીર્ઘદ્રષ્ટિથી વિકસાવી. ઉત્તરોત્તર તેમાં વિકાસ થતો રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy