________________
અભિવાદનગ્રંથ ]
[ ૫ બજાવવામાં તેમનાં ધર્મપત્ની હીનાબહેનને ફાળ પણ નાનસૂને નથી જ. તેમના હાથે વધુ ને વધુ માંગલિક કાર્યો થતાં રહે તેવી સદ્ભાવના વ્યક્ત કરીએ છીએ.
સ્વ. કુંવરજી છગનલાલ મહેતા કાઠિયાવાડ-સૌરાષ્ટ્રમાં પાલીતાણા અને કદંબગિરિ તીર્થની પવિત્ર છાયામાં જેસર–રાજપરા ગામમાં શ્રાવક છગનલાલના ઘરે સંવત ૧૯૬૪ કારતક સુદ ને મના દિવસે પુત્રરત્નને જન્મ થયે, જેનું નામ કુંવરજી પાડવામાં આવ્યું. સ્કૂલના અભ્યાસમાં આગળ વધવા માટે તેઓને સુરત “રત્નસાગરજી” બેડિગમાં મૂક્યા અને વ્યાવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર મેળવ્યા.
પછી તેઓએ મુંબઈ જઈને દૂધના ધંધામાં જોડાઈને તેમાં જ સ્થિર થયા અને કુટુંબની જવાબદારીઓ ઉપાડવા સાથે પિતાના આત્મકલ્યાણની જવાબદારી ક્યારેય ભૂલતા નહતા એટલે તેઓ નવપદની ઓળી કરતા હતા. સાથે સાથે વર્ધમાન તપની ૩પ થી ૪૦ ઓળી સુધી તપમાં આગળ વધ્યા હતા. તિથિના ઉપવાસ અને આયંબીલ પણ કરતા હતા.
તેઓએ પિતાના જીવનમાં પરિગ્રહનું પ્રમાણ કરેલું હતું. તેમાં વધારે થતાં તુરત જ વાપરી નાંખતા હતા અને એ સિવાય પણ લક્ષ્મીને સવ્યય કરીને પાલીતાણા, કેશરિયાજીમાં, તળાજા તીર્થમાં અને મુંબઈ ભાઈન્દરમાં પ્રભુ-પ્રતિષ્ઠા કરાવેલ. ઉદવાડા ઉપાશ્રયમાં દાન આપેલ અને પાલીતાણામાં “શ્રી શ્રમણ સ્થવિરાયલ”ઉપાશ્રયમાં નામ આપવાનું દાન કર્યું હતું. મુંબઈ-સાયન-સંઘમાં ઉકાળેલા પાણીમાં નામ આપેલ. મુંબઈકેટમાં સાધુ વૈયાવચ્ચ તથા સાધર્મિક ભક્તિમાં પણ દાન આપેલ હતું.
પિતાનાં સ્વ. ધર્મપત્ની કંચનબેન, સુપુત્ર ચંદુભાઈ અને હેમતભાઈ સુપુત્રીઓ રસીલાબેન, ભાનુબેન, કુંદનબેન અને ઈલાબેન હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org