SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ આપણા શ્રેષ્ઠીવર્યા કરી છે, એ હકીકત ભારતના નામને રેશન કરે છે અને ભારતીય ખાનદાનીના ખમીરરૂપે ખડી થાય છે. ભાઈ કિરણને ઘણાં અભિનદન અને માતૃભૂમિના શુભેચ્છાભર્યાં આશિષ. શ્રી કીર્તિભાઈ એમ. વારા ભાવનગર વિદ્યાનગરમાં નૂતન જિનમંદિર નિર્માણ થતાં પૂજ્ય આચાય શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિની શુભ નિશ્રામાં ચૈત્ર વદ છ થી વૈશાખ સુદ ૩ સુધી અજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવને વિશિષ્ટ રીતે ધર્મ મહોત્સવ ઊજવાઈ ગયા. ધર્માનુરાગી પ્રીતિ કુમાર મણિલાલ વેરા ( એડવોકેટ ) તથા તેમનાં ધર્મપત્ની હીનાબેન રાજપરાવાળા ( હાલ ઘાટકોપર )એ મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રભુ-પ્રતિષ્ઠાના આદેશ લઈ નાની ઉંમરમાં પોતાની લક્ષ્મીને ધ માગે સારા સદ્ઉપયોગ કરેલ છે. અ’જનશલાકામાં ભગવાનનાં માતા-પિતા થવાને લાભ લેવા સાથે દ્વાર ઉદ્ઘાટન, શ્રી અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર, હાથી ઉપર બેસીને વર્ષીદાન, સાર્મિક વાત્સલ્ય આદિ વિવિધ લાભા લઈ જીવનને ધન્ય બનાવ્યું છે. શ્રી કીર્તિભાઈનાં માતુશ્રી તથા બહેને દીક્ષા લીધી છે અને હાલ શાસન-સમ્રાટશ્રીના સમુદાયમાં પૂ. ઉદ્યોત્યશાશ્રીજી અને પૂ. તરુણુયશાશ્રીજી તરીકે છે. કીર્તિભાઈ ને મૂળનાયક પ્રભુજીની એવા ૨૪ પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવવાની ભાવના છે. આ ત્રીજા મૂળનાયકની પ્રતિષ્ઠા કરાવી લાભ લીધા છે. બાજુના શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠાતિનો લાભ ભાવનગરનિવાસી શ્રી પ્રભુદાસ વ્રજલાલે લીધે હતા. શ્રી કીર્તિભાઈ વારા વિવિધ ક્ષેત્રની વિશાળ કામગીરી અને મેટી જવાબદારીમાં વ્યસ્ત રહે છે. સખત મહેનત, કામની ધગશ અને ચીવટ, કુનેહ અને કાબેલિયતનાં શ્રેષ્ઠ લક્ષણાના આવિર્ભાવ વ્યક્ત થતા રહે છે. તેઓશ્રીના યશભાગી હાથેાના સ્પર્શ જ્યાં જ્યાં થયા છે ત્યાં ત્યાંની શુભદાયી યેાજના હંમેશાં ફળીભૂત થતી રહી છે. કવ્યધમ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy