________________
[ આપણું શ્રેષ્ઠીવર્યો વિ. સં. ૨૦૪૫ ભાદરવા સુદ ૧૪ ગુરુવાર તા. ૧૪-૯-૮ન્ના રાતના ૮૨ વર્ષની ઉંમરે નવકારમંત્ર વગેરે સાંભળતાં સમાધિપૂર્વક સ્વર્ગવાસી બન્યા. શાસનદેવતા તેમની આત્માને શાંતિ આપે. તેમના કુટુંબીજનોએ સ્વર્ગસ્થની પાછળ દાનધર્મમાં સારી રીતે લાભ લીધે છે. તેમનાં પુત્રવધૂ નયનાબેન, પૌત્ર નિતુલ, મેહુલ, પુત્રીઓ રસીલાબેન, ભાનુમતીબેન, કુંદનબેન, ઈલાબેન વગેરેએ મહેતા પરિવારના વારસાને દીપાવે છે.
શ્રી કેશવલાલ નાનચંદ દોશી સેવાપ્રિય અને સૌજન્યશીલ શ્રી કેશવલાલભાઈનું મૂળ વતન ભાવનગર પાસેનું વરલ ગામ. વર્ષો પહેલાં ધંધાથે મુંબઈ આવી કાપડના વેપારમાં પૂ. પિતાશ્રી સાથે જોડાયા. ત્યારબાદ મેસર્સ કેશવલાલ નાનચંદ એન્ડ કુ. શરૂ કરી. પરમાત્માએ યારી આપી. કુટુંબ-વાત્સલ્ય અને સમાજસેવા તેમના ધ્યેયમ બન્યા.
પૂજ્ય પિતાશ્રીને મણિમહોત્સવ દહીસર મુકામે આનંદ-ઉત્સાહ પૂર્વક ઊજવવામાં આવ્યું. નવી-જૂની પેઢીને અનુરૂપ દરવણી આપતા રહ્યા છે. તેમના વિચારે પ્રેરણાદાયી ઉમદા તેમ જ ઉદાર દષ્ટિવાળા રહ્યા છે.
વ્યવસાયાર્થે બિન્ની મિલ્સની ડસ્ટ્રીબ્યુટરશિપમાં શ્રી કેશવલાલભાઈ મોખરાનું સ્થાન ધરાવે છે. હમણાં જ શ્રી કાંદીવલી ઘોઘારી વીશાશ્રીમાળી જૈન મિત્રમંડળને ઉદ્યોગગૃહ માટે તેઓએ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી અપને ઉદાર દાન આપી એક નવું પ્રસ્થાન કરવા પ્રેરણા આપી છે. એટલું જ નહિ પણ કેળવણીના વિકાસ અને પ્રગતિ માટે માતબર રકમનું બીજું દાન આપી મંડળને ચિંતામુક્ત બનાવેલ છે.
તેમના પૂજ્ય વડીલશ્રી કરશનદાદાની અમર યાદગીરીમાં શ્રી નાનચંદ્ર મુળચંદ અને શ્રી અમીચંદ દામજી પ્રેરિત શેઠશ્રી કરશન જીવન ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં અગ્ર ભાગ લીધેલ છે. આ ટ્રસ્ટના શ્રી કેશુભાઈ એક ટ્રસ્ટી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org