SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર×યણાણિ ૧૦૧૨ પરિશિષ્ટ ૫ઃ ભૌગોલિક પરિચય તેઓ મરીને દેવ બન્યા. અને તેમણે દ્વારકાને ભસ્મ કરી નાખી. દ્વારવતી-દહન પહેલાં એકવાર ફરી પાછા અરિષ્ટનેમિ રૈવતક પર્વત પર આવ્યા હતા.' જયારે તારવતીનું દહન થયું ત્યારે તેઓ પલ્લવ દેશમાં હતા. ૨૧ શ્રાવસ્તી – આ કોશલ રાજ્યની રાજધાની હતી. તેની આધુનિક ઓળખાણ સહેટ-મહેટ સાથે કરવામાં આવી છે. આમાં સહેટ ગોંડા જીલ્લામાં અને મહેટ બહરાઈચ જિલ્લામાં છે. મહેટ ઉત્તરમાં છે અને સહેટ દક્ષિણમાં. આ સ્થળ ઉત્તર-પૂર્વ રેલ્વેના બલરામપુર સ્ટેશનથી પાકી સડકના રસ્તે દશ માઈલ દૂર છે. બહુરાઈચથી તેનું અંતર ૨૯ માઈલ છે. વિદ્વાન વી. સ્મીથે શ્રાવસ્તીને નેપાળ દેશના ખજુરા પ્રાન્તમાં આવેલ માન્યું છે. આ સ્થળ બાલપુરથી ઉત્તર દિશામાં અને નેપાલગંજની પાસે ઉત્તર-પૂર્વ દિશામાં છે. યુઆનું ચુઆંગે શ્રાવસ્તીને જનપદ માની તેનો વિસ્તાર છ હજાર ‘લી’ માન્યો છે. તેની રાજધાની માટે તેણે “પ્રાસાદનગર' નામ આપ્યું છે અને તેનો વિસ્તાર વીસ લી’ માન્યો છે.' ૧. શનિ , મદ્રીય વૃત્તિ, પત્ર ૩૬-રૂ૭T ૨. સુવોથા, પત્ર રૂ૮ ૩. સી પરોગ્રામ , પૃ. ૪૬-૪૭૪ I ४. जनरल ऑफ रायल एशियाटिक सोसाइटी, भाग १, जन् ૨૬૦૦ | ५. यूआन् चुआङ्ग'स ट्रैवेल्स इन इण्डिया, भाग १ पृ. ३७७ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy