SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૧૦૧૧ પરિશિષ્ટ ૫: ભૌગોલિક પરિચય (૫) ભરતસિંહ ઉપાધ્યાય અનુસાર દ્વારકા સૌરાષ્ટ્ર જનપદનું એક નગર હતું. વર્તમાન દ્વારિકા કસ્બાથી આગળ ૨૦ માઈલ દૂર આવેલ કચ્છના અખાતમાં એક નાનકડો ટાપુ છે, તેમાં એક બીજી દ્વારકા વસેલી છે, જેને ‘બેટ દ્વારિકા' કહે છે. અનુશ્રુતિ મુજબ અહીં ભગવાન કૃષ્ણ શેર કરવા આવ્યા હતા. દ્વારિકા અને બેટદ્વારિકા – બન્ને નગરોમાં રાધા, રુકિમણી, સત્યભામા વગેરેના મંદિરો મળી આવ્યા છે.' (૬) કેટલાક વિદ્વાનોએ તેનું સ્થાન પંજાબમાં હોવાની સંભાવના વ્યક્ત કરી છે.” (૭) ડૉ. અનંત સદાશીવ અલતેકરે દ્વારકાના મૂળ સ્થાનનો નિર્ણય સંશયાસ્પદ માન્યો છે. તેમનું કહેવું છે કે પ્રાચીન દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી. (૮) આધુનિક દ્વારકાપુરી પ્રાચીન દ્વારકા નથી. પ્રાચીન દ્વારકા ગિરનાર પર્વતની તળેટીમાં, જૂનાગઢની આસપાસ વસી હોવી જોઈએ.' (૯) પુરાણ અનુસાર એમ પણ માનવામાં આવે છે કે મહારાજા રૈવતે સમુદ્ર વચ્ચે કુશસ્થળી નગરી વસાવી હતી. તે આનર્ત જનપદમાં હતી. તે જ ભગવાન કૃષ્ણના સમયમાં ‘દ્વારકા’ કે ‘દ્વારવતી’ નામે પ્રસિદ્ધ થઈ.' (૧૦) જૈન સાહિત્યમાં ઉલ્લેખ છે કે જરાસંધના ભયથી ભયભીત બની હરિવંશમાં પેદા થયેલા દશાર્ક વર્ગ મથુરા છોડી સૌરાષ્ટ્રમાં ગયા. ત્યાં તેમણે તારવતી નગરી વસાવી." મહાભારતમાં આ જ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે કે જરાસંધના ભયથી યાદવોએ પશ્ચિમ ભારતનું શરણ સ્વીકાર્યું અને રૈવતક પર્વત વડે સુશોભિત રમણીય કુશસ્થલી(દ્વારવતી)નગરમાં જઈ વસ્યા તથા કુશસ્થલી દુર્ગ સમરાવ્યો. (૧૧) જૈન આગમોમાં સાડા પચીસ આર્ય દેશોમાં સૌરાષ્ટ્ર જનપદની રાજધાની રૂપે દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નગર નવ યોજન પહોળું અને બાર યોજન લાંબુ હતું. તેની ચોપાસ ફરતો પત્થરનો કિલ્લો હતો.૧૦ એવો પણ ઉલ્લેખ છે કે તેનો કિલ્લો સોનાનો હતો. તેના ઈશાન ખૂણામાં રૈવતક પર્વત હતો.૧૧ તેના કિલ્લાની લંબાઈ ત્રણ યોજન હતી. એક એક યોજનના અંતરે સૈન્યના ત્રણ ત્રણ દળોની છાવણી હતી. પ્રત્યેક યોજનના અંતે સો સો દ્વારહતા. ૧૯ આ બધા મુદાઓના અધ્યયનમાંથી એવો નિષ્કર્ષ નીકળે છે કે પ્રાચીન દ્વારકા રૈવતક પર્વતની પાસે હતી. રૈવતક પર્વત સૌરાષ્ટ્રમાં આજે પણ વિદ્યમાન છે. સંભવ છે કે પ્રાચીન દ્વારકા તેની જ તળેટીમાં વસ્તી હોય અને પર્વત પર એક સંગીન કોટનું નિર્માણ કરવામાં આવ્યું હોય. ભાગવત અને વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે કૃષ્ણ દ્વારકા છોડીને ચાલ્યા ગયા ત્યારે તે સમુદ્રમાં ડૂબી ગઈ. માત્ર કૃષ્ણનુ રાજભવન બચી ગયું.૧૩ જૈન ગ્રંથોમાં પણ તેના ડૂબી જવાની વાત મળે છે.* જૈન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે એક વાર કૃષ્ણ ભગવાન અરિષ્ટનેમિને દ્વારકા-દહન બારામાં પ્રશ્ન કર્યો. તે સમયે અરિષ્ટનેમિ પલ્લવ દેશમાં હતા. અરિષ્ટનેમિએ કહ્યું- “બાર વર્ષ પછી દ્વીપાયન ઋષિ વડે તેનું દહન થશે.” દ્વીપાયન પરિવ્રાજકે આ વાત લોકો પાસેથી સાંભળી. ‘હું દ્વારકા-દહનનું નિમિત્ત ન બની જાઉં'—એવું વિચારી તેઓ ઉત્તરાપથમાં ચાલ્યા ગયા. સમયની બરાબર ગણતરી ન કરી શકવાથી તેઓ બારમા વર્ષે દ્વારકામાં આવ્યા. યાદવ કુમારોએ તેમનું અપમાન કર્યું. નિદાન-અવસ્થામાં ૧. વીદ્ધાત્રીત મારતીય મૂત્ર, પૃ. ૪૮૭૧ ૮. વૃદ્ધત્વ, મા ૨,પૃ. ૬૨૨, ૬૩. ૨. વર્વે નેગેટીવેર, મા ૧, પાર્ટ ૧, પૃ. ૨૨ વuિr ? | ૯. જ્ઞાતાધર્મથ, પૃ. ૧૧, ૨૦૨ ૩. ન્ડિયન દિન, સન્ ૨૬૨૬, સન્નિમેન્ટ, પૃ. ૨૬ ૧૦. ગૃહપ, માગ ૨, પૃ. : ૪. પુરાતત્ત્વ, પુતળ ૪પૃ. ૨૦૮ ૧૧.જ્ઞાતાધર્મથ, પૃ. ૨૨ ૫. વાયુપુરા, દા ૨૭T ૧૨.મહાભારત, સભાપર્વ, 8ા ૧૪-૧૬ | ६. दशवैकालिक, हारिभद्रीय टीका, पत्र ३६ । ૧૩, માનવત, ૧ રૂા ૨૩વિMાપુરા, બા રછા રૂદ્દ છે ૭. મહાભારત, ક્ષમાપર્વ, ૧૪ ૨૨-૧૩, ૬૭T ૧૪. સુહુવા , પત્ર રૂ૫-૪૦ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy