SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૯૩૮ અધ્યયન-૩૬: ટિપ્પણ ૧૬-૧૮ દિક પ્રજ્ઞાપનામાં કઠણ પૃથ્વીને ચાલીસ શ્રેણીઓમાં વહેંચી નાખવામાં આવી છે. ઉત્તરાધ્યયનમાં તેની છત્રીસ શ્રેણીઓ બતાવાઈ છે. શાન્તાચાર્ય અનુસાર લોહિતાક્ષ અને પ્રસારગલ ક્રમશઃ સ્ફટિક અને મરકતના તથા ગેરુક અને હંસગર્ભ ચંદનના પેટાભેદો છે. વૃત્તિકારે શુદ્ધ પૃથ્વીથી માંડી વજ સુધીના ચૌદ પ્રકાર તથા હરિતાલથી લઈને આમ્રવાલુકા સુધીના આઠ પ્રકારો સ્પષ્ટ માન્યા છે. ગોમેદકથી લઈ બાકીના બધા મળી ચૌદ પ્રકારો થવા જોઈએ, પરંતુ અઢાર થાય છે. તેમાંથી ચાર વસ્તુઓનો બીજામાં અંતર્ભાવ થાય છે. વૃત્તિકાર એ વિષયમાં પૂરેપૂરા સ્પષ્ટ નથી કે કોનામાં કોનો અંતર્ભાવ થવો જોઈએ.' ૧૬. ( ડ્યુિં....અંતર) કાયસ્થિતિ–એક જ જવનિકાયમાં નિરંતર જન્મ ગ્રહણ કરતાં રહેવાની કાળ-મર્યાદા. અંતરકાલ–એક કાયનો પરિત્યાગ કરી ફરી તે જ કાયમાં ઉત્પન્ન થવા સુધીનો કાળ ‘અંતરકાલ’ કહેવાય છે." કાયસ્થિતિના નિયમ અનુસાર એક જ કાયમાં નિરંતર ભવ-પરિવર્તન થતું રહે છે. અંતર-કાયના નિયમોમાં કાયનું પરિવર્તન થઈ જાય છે. ૧૭. (શ્લોક ૮૫) આ શ્લોકમાં અપકાયના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. પ્રજ્ઞાપના (પદ ૧)માં તેના અધિક પ્રકારો મળે છે – ઉત્તરાધ્યયન (૧) શુદ્ધોદક (૩) હરતનુ -ભૂમિને ભેદીને નીકળેલ જળ-બિંદુ (૫) હિમ (૨) અવશ્યાય (૪) મહિકા – ધુમ્મસ પ્રજ્ઞાપના (૧) અવશ્યાય (૪) કરક –કરા (૭) શીતોદક (૧૦) ખટ્ટોદક (૧૩) વારુણોદક (૧૬) સોદોદક (૨) હિમ (૫) હરતનું (૮) ઉષ્ણોદક (૧૧) અલ્હાદક (૧૪) શીરોદક (૧૭) રસોદક (૩) માહિકા (૬) શુદ્ધોદક (૯) ક્ષારોદક (૧૨) લવણોદક (૧૫) વૃતોદક ૧૮. (શ્લોક ૯૩-૯૯) વનસ્પતિના મુખ્ય વર્ગો બે છે – (૧) સાધારણ-શરીર – જેના એક શરીરમાં અનંત જીવો હોય છે, તેને ‘સાધારણ-શરીર’ કહેવામાં આવે છે. (૨) પ્રત્યેક-શરીર – જેના એક એક શરીરમાં એક એક જીવ હોય છે, તેને ‘પ્રત્યેક-શરીર’ કહેવામાં આવે છે. સૂત્રકારે સાધારણ-શરીર પહેલાં પ્રત્યેક-શરીરના બાર પ્રકારો બતાવ્યા છે – – એક બીજવાળા લીંમડો વગેરે અનેક બીજવાળા બેલા વગેરે. (૨) ગુચ્છ – જેમાં માત્ર પાંદડાં કે પાતળી ટશરો ફેલાઈ હોય તેવો છોડ. જેમકે, રીંગણા, તુલસી વગેરે. (૩) ગુલ્મ – જે એક મૂળમાંથી કેટલાક શરીરો રૂપે નીકળે તે છોડ, જેમ કે – કાંટાસળિયો, કબેર વગેરે. (૪) લતા - પૃથ્વી પર કે કોઈ મોટા ઝાડને ચોંટીને ઉપર ફેલાનાર છોડ. જેમ કે – માધવી, અતિમુક્તક વગેરે. ૧, પUUવUTI, Vર ?! थंचि-दन्तर्भावाच्चतुर्दशेत्यमीमीलिताः षट्त्रिंशद् भवंति । बृहवृत्ति, पत्र ६८९ । એજન, પત્ર ૬૨૦ : તતોડનુવર્તમૈનાવથા કાય-fથતિઃ ૩. એજન, પત્ર ૬૮૨ : ફુદ fથ વ્યાયશ્ચતુર્વર ૫. એજન, પન્ન ૬૨૦ : યત પૃથિવીવલાયદું વર્તન યા પુનઃ हरितालादयोऽष्टौगोमेज्जकादयश्च वचित्कस्यचित्क तत्रैव उत्पत्तिरनयोर्व्यवधानमिति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy