SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર×યણાણિ ૮૦૬ અધ્યયન-૩૧ : ટિપ્પણ ૧૩-૧૫ (૨) હું બીજા સાધુઓ માટે સ્થાનની યાચના કરીશ. બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં હું રહીશ. આ ગચ્છાન્તરગત સાધુઓને હોય છે. (૩) હું બીજાઓ માટે સ્થાનની યાચના કરીશ, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ નહીં. આ યથાસંદિક સાધુઓને હોય છે. (૪) હું બીજાઓ માટે સ્થાનની યાચના નહીં કરું, પરંતુ બીજાઓ દ્વારા યાચિત સ્થાનમાં રહીશ. આ જિનકલ્પદશાનો અભ્યાસ કરનારા સાધુઓને હોય છે. (૫) હું પોતાના માટે સ્થાનની યાચના કરીશ, બીજાઓ માટે નહીં. આ જિનકલ્પિક સાધુઓને હોય છે. (૬) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાંથી પરાળ વગેરેનો સસ્તારક મળશે તો લઈશ, નહીં તો ઊભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ. આ જિનકલ્પિક કે અભિગ્રહધારી સાધુઓને હોય છે. (૭) જેનું સ્થાન હું ગ્રહણ કરીશ, તેના જ ત્યાં સહજપણે બીછાવેલ સિલાપટ્ટ કે કાઇપટ્ટ મળશે તો લઈશ નહીં તો ઉભડક કે નૈષધિક આસનમાં બેઠા બેઠા રાત વીતાવીશ, આ જિનકલ્પિક અથવા અભિગ્રહધારી સાધુઓને હોય છે.' ૧૩. (માસુ સત્ત) ભયનાં સ્થાન સાત છે – (૧) ઈહલોક-ભય – સજાતીયથી ભય- જેમકે મનુષ્યને મનુષ્યથી ભય, દેવને દેવથી ભય. (૨) પરલોક-ભય – વિજાતીયથી ભય – જેમ કે મનુષ્યને દેવ, તિર્યંચ વગેરેનો ભય. (૩) આદાન-ભય – ધન વગેરે પદાર્થોનું અપહરણ કરી લેનારાઓ તરફથી થનારો ભય. (૪) અકસ્માત-ભય – કોઈ બાહ્ય નિમિત્ત વિના જ પેદા થનાર ભય, પોતાના જ વિકલ્પો દ્વારા થનાર ભય. (૫) વેદના-ભય – પીડા વગેરેથી ઉત્પન્ન થનાર ભય. (૬) મરણ-ભય – મૃત્યુનો ભય. (૭) અશ્લોક-ભય – અપકીર્તિનો ભય. જુઓ – ઠાણે, ૭/૨૭. ૧૪. આઠ મદ-સ્થાનોમાં (વે) આઠ મદ સ્થાનો આ પ્રમાણે છે – (૧) જાતિ-મદ (૫) તપો-મદ (૨) કુળ-મદ (૬) શ્રુત-મદ (૩) બળ-મદ (૭) લાભ-મદ (૪) રૂપ-મદ (૮) ઐશ્વર્ય-મદ જુઓ– ઠાણે, ૮/૨૧, સમવાઓ, સમવાય-૮. ૧૫. બ્રહ્મચર્યની નવ ગુક્તિઓમાં (વંમા) બ્રહ્મચર્યની રક્ષાના સાધનને ‘ગુપ્તિ' કહે છે. જુઓ-સોળમું અધ્યયન; સ્થાનાંગ, ૯/૬૬૩; સમવાયાંગ, સમવાય-૯. ૧. થાન, ૨૦, વૃત્તિ, પz ૨૮૬-૨૮૭T. સમવાયાં (સવાય ૭) માં વેદના-ભયના સ્થાને આજીવભયનો ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy