________________
ઉત્તરઝયણાણિ
(ક) હિંસાનુબંધી — જેમાં હિંસાનો અનુબંધ – હિંસામાં સતત પ્રવર્તન હોય. (ખ) મૃષાનુબંધી – જેમાં મૃષાનો અનુબંધ – મૃષામાં સતત પ્રવર્તન હોય.
(ગ) સ્ટેનાનુબંધી – જેમાં ચોરીનો અનુબંધ – ચોરીમાં સતત પ્રવર્તન હોય.
(ધ) સંરક્ષણાનુબંધી – જેમાં વિષયના સાધનોના સંરક્ષણનો અનુબંધ – વિષયનાં સાધનોના સંરક્ષણમાં સતત પ્રવર્તન હોય.
રૌદ્રધ્યાનના ચા૨ લક્ષણો છે —–
(ક) અનુપરત
(ખ) બહુ
७८८
૧.
દોષ – પ્રાયઃ હિંસા વગેરેથી ન વિરમવું.
દોષ – હિંસા વગેરેની વિવિધ પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેવું.
(ગ) અજ્ઞાન દોષ – અજ્ઞાનવશ હિંસા વગેરેમાં પ્રવૃત્ત થવું.
(ઘ) આમરણાન્ત દોષ – મરણાંત સુધી હિંસા વગેરે કરવાનો પશ્ચાત્તાપ ન થવો.
આ બંને ધ્યાન પાપાશ્રવના હેતુઓ છે, એટલા માટે તેમને ‘અપ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે. આ બન્નેને એકાગ્રતાની દૃષ્ટિએ ધ્યાનની કોટિમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ સાધનાની દષ્ટિએ આર્ત્ત અને રૌદ્ર પરિણતિમય એકાગ્રતા વિઘ્ન જ છે.
મોક્ષના હેતુભૂત ધ્યાન બે જ છે – (૧) ધર્મ્સ અને (૨) શુક્લ. તેમનાથી આશ્રયનો નિરોધ થાય છે, એટલા માટે તેમને ‘પ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે.
(૩) ધર્મધ્યાન
વસ્તુ-ધર્મ કે સત્યની શોધમાં પરિણત ચેતનાની એકાગ્રતાને ‘ધર્મ-ધ્યાન’ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે - (ક) આજ્ઞા-વિચય – પ્રવચનના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત.
(ખ) અપાય-વિચય — દોષોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત.
(ગ) વિપાક-વિચય – કર્મ-ફળોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત.
-
(ઘ) સંસ્થાન-વિચય – વિવિધ પદાર્થોના આકૃતિ-નિર્ણયમાં સંલગ્ન ચિત્ત.
=
ધર્મધ્યાનના ચાર લક્ષણો છે
(ક) આજ્ઞા-રુચિ – પ્રવચનમાં શ્રદ્ધા હોવી.
(ખ) નિસર્ગ-રુચિ – સહજપણે જ સત્યમાં શ્રદ્ધા હોવી.
(ગ) સૂત્ર-રુચિ – સૂત્ર-પઠન દ્વારા શ્રદ્ધા પેદા થવી.
(ઘ) અવગાઢ રુચિ — વિસ્તારથી સત્યની ઉપલબ્ધિ થવી.
ધર્મધ્યાનના ચાર આલંબનો છે –
Jain Education International
અધ્યયન-૩૦ઃ શ્લોક ટિપ્પણ ૧૫
(ક) વાચના – ભણાવવું.
(ખ) પ્રતિપ્રચ્છના – શંકા-નિવારણ માટે પ્રશ્નો કરવા.
(ગ) પરિવર્તના – પુનરાવર્તન કરવું.
(ઘ) અનુપ્રેક્ષા – અર્થનું ચિંતન કરવું.
તત્ત્વાર્થ સૂત્ર, ૧૫ ૨૧ ।
For Private & Personal Use Only
www.jainelibrary.org