SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ (ક) હિંસાનુબંધી — જેમાં હિંસાનો અનુબંધ – હિંસામાં સતત પ્રવર્તન હોય. (ખ) મૃષાનુબંધી – જેમાં મૃષાનો અનુબંધ – મૃષામાં સતત પ્રવર્તન હોય. (ગ) સ્ટેનાનુબંધી – જેમાં ચોરીનો અનુબંધ – ચોરીમાં સતત પ્રવર્તન હોય. (ધ) સંરક્ષણાનુબંધી – જેમાં વિષયના સાધનોના સંરક્ષણનો અનુબંધ – વિષયનાં સાધનોના સંરક્ષણમાં સતત પ્રવર્તન હોય. રૌદ્રધ્યાનના ચા૨ લક્ષણો છે —– (ક) અનુપરત (ખ) બહુ ७८८ ૧. દોષ – પ્રાયઃ હિંસા વગેરેથી ન વિરમવું. દોષ – હિંસા વગેરેની વિવિધ પ્રવૃત્તિઓમાં સંલગ્ન રહેવું. (ગ) અજ્ઞાન દોષ – અજ્ઞાનવશ હિંસા વગેરેમાં પ્રવૃત્ત થવું. (ઘ) આમરણાન્ત દોષ – મરણાંત સુધી હિંસા વગેરે કરવાનો પશ્ચાત્તાપ ન થવો. આ બંને ધ્યાન પાપાશ્રવના હેતુઓ છે, એટલા માટે તેમને ‘અપ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે. આ બન્નેને એકાગ્રતાની દૃષ્ટિએ ધ્યાનની કોટિમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ સાધનાની દષ્ટિએ આર્ત્ત અને રૌદ્ર પરિણતિમય એકાગ્રતા વિઘ્ન જ છે. મોક્ષના હેતુભૂત ધ્યાન બે જ છે – (૧) ધર્મ્સ અને (૨) શુક્લ. તેમનાથી આશ્રયનો નિરોધ થાય છે, એટલા માટે તેમને ‘પ્રશસ્ત-ધ્યાન’ કહેવામાં આવે છે. (૩) ધર્મધ્યાન વસ્તુ-ધર્મ કે સત્યની શોધમાં પરિણત ચેતનાની એકાગ્રતાને ‘ધર્મ-ધ્યાન’ કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે - (ક) આજ્ઞા-વિચય – પ્રવચનના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. (ખ) અપાય-વિચય — દોષોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. (ગ) વિપાક-વિચય – કર્મ-ફળોના નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. - (ઘ) સંસ્થાન-વિચય – વિવિધ પદાર્થોના આકૃતિ-નિર્ણયમાં સંલગ્ન ચિત્ત. = ધર્મધ્યાનના ચાર લક્ષણો છે (ક) આજ્ઞા-રુચિ – પ્રવચનમાં શ્રદ્ધા હોવી. (ખ) નિસર્ગ-રુચિ – સહજપણે જ સત્યમાં શ્રદ્ધા હોવી. (ગ) સૂત્ર-રુચિ – સૂત્ર-પઠન દ્વારા શ્રદ્ધા પેદા થવી. (ઘ) અવગાઢ રુચિ — વિસ્તારથી સત્યની ઉપલબ્ધિ થવી. ધર્મધ્યાનના ચાર આલંબનો છે – Jain Education International અધ્યયન-૩૦ઃ શ્લોક ટિપ્પણ ૧૫ (ક) વાચના – ભણાવવું. (ખ) પ્રતિપ્રચ્છના – શંકા-નિવારણ માટે પ્રશ્નો કરવા. (ગ) પરિવર્તના – પુનરાવર્તન કરવું. (ઘ) અનુપ્રેક્ષા – અર્થનું ચિંતન કરવું. તત્ત્વાર્થ સૂત્ર, ૧૫ ૨૧ । For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy