SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ તપો-માર્ગ-ગતિ ૭૮૭ અધ્યયન-૩૦: ટિપ્પણ ૧૫ સ્થિર ચેતનાને ધ્યાન' કહેવામાં આવે છે. જેમ કે અપરિસ્પંદમાન અગ્નિ-જવાળા ‘શિખા' કહેવાય છે, તેવી જ રીતે અપરિસ્પંદમાન જ્ઞાન ધ્યાન કહેવાય છે.” એકાગ્ર-ચિંતનને પણ ધ્યાન કહેવામાં આવે છે. ચિત્ત અનેક વસ્તુઓ કે વિષયોમાં પ્રવૃત્ત થતું રહેતું હોય છે, તેને અન્ય વસ્તુઓ કે વિષયોમાંથી નિવૃત્ત કરી એક વસ્તુ કે વિષયમાં પ્રવૃત્ત કરવું પણ ધ્યાન છે. મન, વચન અને કાયાની સ્થિરતાને પણ ધ્યાન કહેવામાં આવે છે. આ જ વ્યુત્પત્તિના આધારે ધ્યાનના ત્રણ પ્રકાર પડે 1.] (૧) માનસિક-ધ્યાન- મનની નિશ્ચલતા – મનોગુપ્તિ. (૨) વાચિક-ધ્યાન- મૌન-વચન-ગુપ્તિ. (૩) કાયિક-ધ્યાન- કાયાની સ્થિરતા – કાય-ગુપ્તિ. છબસ્થ વ્યક્તિને એકાગ્ર-ચિંતનાત્મક-ધ્યાન થાય છે અને પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન કેવળીને હોય છે. છબસ્થને પ્રવૃત્તિનિરોધાત્મક-ધ્યાન કેવળી જેટલું વિશિષ્ટ ભલે ન હોય, પરંતુ અંશતઃ તો હોય જ છે. ધ્યાનના પ્રકાર એકાગ્ર-ચિંતનને ધ્યાન' કહેવામાં આવે છે. આ વ્યુત્પત્તિના આધારે તેના ચાર પ્રકાર થાય છે – (૧) આર્ત, (૨) રૌદ્ર, (૩) ધર્યુ અને (૪) શુક્લ. (૧) આધ્યાન (ક) કોઈ પુરુષ અમનોજ્ઞ સંયોગમાં જોડાવાથી તે તેના (અમનોજ્ઞ વિષયના) વિયોગનું ચિંતન કરે છે – આ પહેલો પ્રકાર છે. કોઈ પુરુષ મનોજ્ઞ વિષય સાથે જોડાયેલ છે, તે તેનો (મનોજ્ઞ વિષયનો) વિયોગ ન થવાનું ચિંતન કરે છે – આ બીજો પ્રકાર છે. (ગ) કોઈ પુરુષ આતંક (સઘોઘાની રોગ)ના સંયોગમાં સપડાવાથી તે તેના આતંકના) વિયોગનું ચિંતન કરે છે – આ ત્રીજો પ્રકાર છે. () કોઈ પુરુષ પ્રીતિકર કામ-ભોગના સંયોગમાં જોડાયેલ છે, તે તેનો (કામ-ભોગનો) વિયોગ ન થવાનું ચિંતન કરે છે – આ ચોથો પ્રકાર છે. આર્તધ્યાનના ચાર લક્ષણો છે – આક્રંદ કરવું, શોક કરવો, આંસુ વહાવવા, વિલાપ કરવો. (૨) રૌદ્રધ્યાન ચેતનાની ક્રરતામય એકાગ્ર-પરિણતિને “રૌદ્રધ્યાન” કહેવામાં આવે છે. તેના ચાર પ્રકાર છે – ૧. ધ્યાનશતા, વા ૨: ध्यानशतक, श्लोक ३: जं थिरमज्झवसाणं, तं झाणं जं चलं तयं चित्तं । अंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुम्मि । तं हुज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥ छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥ तत्त्वार्थ सूत्र, ९।२७, श्रुतसागरीयवृत्ति : अपरिस्पन्दमानं નોકાણ, રૂ. ૪૨૧-૪૨૨ : ज्ञानमेव ध्यानमुच्यते । किं तत् ? अपरिस्पन्दमाना यथा मानसिकं ध्यानमेकाग्रं निश्चलं मनः । ग्निज्वालावत् । यथा अपरिस्पन्दमानाग्निज्वाला शिखा यथा च कायिकं ध्यानं, स्थिर: कायो निरेजनः ।। इत्युच्यते तथा अपरिस्पन्देनावभासमानं ज्ञानमेव ध्यानमिति तथा यतनया भाषां भाषमाणस्य शोभनाम् । तात्पर्यार्थः। दृष्टां वर्जयतो ध्यानं वाचिकं कथितं जिनैः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005116
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages532
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy